મધ્યપ્રદેશનાં મંદસૌર જિલ્લાનાં ભાનપુરા તાલુકાનાં સમેલી ગામની ૪૭ વર્ષિય મહિલા લીલાબેન પૂરીલાલ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. બે-પુત્ર, બે પુત્રીઓ ધરાવતી આ મહિલાએ ગૃહ કંકાસના કારણે ઘર છોડ્યું હતું. અને સાધારણ માનસિક બિમારીનો ભોગ બની હતી અને અચાનક ટ્રેનમાં બેસી ગઇ હતી. અને પંદર વર્ષ સુધી તે જુદા-જુદા રાજ્યોમાં રખડતી-ભટકતી રહી હતી. […]
Category Archives: Activities
હનુમાનજી જયંતિએ વધી પડેલો મહાપ્રસાદ ગરીબોનાં ઝુંપડે ઝુંપડે પહોંચ્યો હતો. ભુજ અને ભુજ વિસ્તારનાં અનેક મંદિરોમાં મહાપ્રસાદ કાર્યક્રમો યોજાયા હતા. મહાપ્રસાદ વધી પડ્યોનાં માનવજ્યોત સંસ્થા ભુજને ૨૩ ફોન આવ્યા હતા. જે પૈકી માનજ્યોત સંસ્થા ૧૯ સ્થળે પહોંચી શકી હતી. આ વધી પડેલું ભોજન સંસ્થાએ ગરીબોનાં ઝુંપડે ઝુંપડે વિતરણ કરતાં સાડાચાર હજારથી વધુ ગરીબોએ ભરપેટ ભોજન […]
માધાપરમાં ભાગવત કથા પ્રસંગે કૃષ્ણજન્મ નિમિત્તે ભુજમાં માનવસેવા, જીવદયા, પર્યાવરણ તથા વ્યસન મુક્તિ અભિયાનનું કાર્ય કરતી માનવજ્યોત સંસ્થાને દાતા શ્રી સ્વ. રવજી શામજી વાગડીયા પરિવાર હસ્તે હીરજી રવજી વાગડીયા માધાપર દ્વારા રૂા. ૩૦ હજાર તથા સ્વ. રત્નાભાઇ રવજી વાગડીયા માધાપર હસ્તે ભાનુબેન રત્ના વાગડીયા રૂા. ૧૦ હજારનું અનુદાન આપવામાં આવેલ. સંસ્થા દ્વારા પ્રબોધ મુનવર તથા […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા રામનવમીનાં પવિત્ર દિવસે લંડન સ્થિત દાતાશ્રીનાં સહયોગથી ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે મીઠાઇનાં પેકેટો વિતરણ કરવામાં આવતાં ગરીબ પરિવારોએ પણ રામનવમી ઉજવણીમાં જોડાઇ ખુશી વ્યક્ત કરી હતી. વિતરણ વ્યવસ્થા નારાણપનાં ગોવિંદભાઇ ભુડિયા, પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, શંભુભાઇ જોષી, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, દિપેશ શાહે સંભાળી હતી.
અન્નનો એક એક દાણો બચાવો… મોંઘવારીએ માજા મૂકી છે. રાશનનાં ભાવ આસમાને પહોંચ્યા છે. પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધી રહ્યા છે તેમ તેમ દરેક વસ્તુઓનાં ભાવ વધી રહ્યા છે. સેવ-મમરા, વડા-પાઉં કે ડબલ રોટીથી પણ પેટ ભરી શકાશે નહીં. દરેક વસ્તુઓનાં ભાવ વધી રહ્યા છે. મોંઘવારી કયાં જઇને અટકશે તેજ સમજાતું નથી. તેલ-ઘઉં-બાજરો-ચોખા રોજીંદા વપરાશની રાશનની વસ્તુઓનાં […]
સિદ્ધરાજસિંહ ફલુભા ઝાલાનાં પૌત્રી, ડો. જયવીરસિંહ સિદ્ધરાજસિંહ ઝાલાના પુત્રી કાવ્યશ્રીબાનાં જન્મદિનની પરિવારજનોએ અનોખી ઉજવણી કરી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શ્રી સિદ્ધરાજસિંહે દશ વર્ષ પહેલા ૬ હજાર વૃક્ષો પોતાના બોરનાં પાણીથી જાત મહેનતે ઉછારેલ. ભુજ સીટી વિસ્તારનાં ૯ વન પૈકી પાંચ નંબરનું વન સિદ્ધરાજસિંહે જાત મહેનતથી બનાવેલ છે. તેમજ પક્ષીઓ માટે સ્વ ખર્ચે ચબૂતરો બનાવી […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા હરતા ફરતા નિઃશુલ્ક છાશ કેન્દ્રનો ભુજનાં કબીર મંદિરેથી પ્રારંભ કરાયો હતો. દરરોજ ૩૦૦ લીટર છાશ વિતરણ કરાશે. ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં જરૂરતમંદ શ્રમજીવીકોને પીવા છાશ મળે તેવા ઉદ્દેશ સાથે માનવજયોત સંસ્થા ભુજ દ્વારા હરતું-ફરતું છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ છાશ કેન્દ્ર દ્વારા ગરીબોની આંતરડી ઠારવાનું કાર્ય કરાશે. […]
ઉનાળાની કાળઝરતી ગરમીમાં અબોલા જીવોને તેમજ તરસ્યા પશુ-પક્ષીઓને પીવાનું પાણી મળી રહે એવા ઉદ્દેશ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૧૯ વર્ષથી જીવદયા ક્ષેત્રે અનોખું કાર્ય દાતાશ્રીઓ અને જીવદયા પ્રેમીઓના સાથ-સહકાર અને સહયોગથી કરવામાં આવી રહ્યું છે. શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ-દાદર તથા કોટી વૃક્ષ અભિયાન બીદડા, જીવદયાના આ કાર્યમાં સહકાર આપી રહ્યા છે. માનવજ્યોતનાં કુંડા […]
૨૦મી માર્ચ વિશ્વ ચકલી દિવસની પૂર્વ સંધ્યાએ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા માતૃછાયા કન્યા વિદ્યાલય ભુજ મધ્યે શાળાનાં પ્રિન્સીપાલ શ્રી સુહાસબેન તન્ના ગોસ્વામીનાં માર્ગદર્શન હેઠળ વિશ્વચકલી દિવસની ઉજવણી કરાઇ હતી. શાળાનાં સુપરવાઇઝર શ્રી હિમાન્જીભાઇ બારોટે સ્વાગત પ્રવચન કરી સૌને મીઠડો આવકાર આપ્યો હતો. માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરે પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, માનવીએ પોતાની રહેવાની […]
શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય નારાણપર મધ્યે વિશ્વ ચકલી દિવસની પૂર્વ સંધ્યાએ વિવિધ કાર્યક્રમો સાથે વિશ્વ ચકલી દિવસ ઉજવાયો હતો. આ પ્રસંગે માનવજ્યોત સંસ્થા ભુજનાં પ્રમુખ પ્રબોધ મુનવર, ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, નરશીભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે શાળાનાં આચાર્ય વર્ષાબેન જોષીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. અને જણાવ્યું હતું […]










