Category Archives: Activities

રાતાતળાવ-સણોસરા વચ્ચે ભૂંગા-ઝુંપડામાં રહેતા મહિલાઓને નવી સાડીઓ વિતરણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સણોસરા-રાતાતળાવ વચ્ચે રોડની એક સાઇડમાં ખુલ્લામાં પડ્યા-પાથર્યા રહેતા પરિવારો, ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા મહિલાઓને નવી સાડીઓ અર્પણ કરાઇ હતી. બળબળતા તાપ અને સખત ગરમીમાં ખુલ્લામાં રહેતા પરિવારોનાં મહિલાઓને નવી સાડીઓ અર્પણ કરાતાં પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી. વ્યવસ્થા પ્રબોધ મુનવર, હિતેશ ગોસ્વામી તથા અમૃતલાલ ડાભીએ સંભાળી હતી.

આણંદ આશ્રમનાં 8 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને ભુજથી તેમનું ઘર શોધી આપી, પરિવાર સાથે મિલન કરાવાશે

માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ આણંદનાં 8 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો ભુજથી પોતાનાં ઘર સુધી પહોંચશે. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને સેવાશ્રમ સ્થળે લાવી તેમનું રાજ્ય, શહેર, ગામ, પરિવાર શોધી આપી વર્ષો પછી પરિવાર સાથે ફેર મિલન. કરાવવાનું કાર્ય કરવામાં આવે છે. માનવજ્યોતના પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ સંસ્થાનાં સામાજિક […]

ભુકંપમાં માતા-પિતા તથા પરિવાર ગુમાવનાર પાંચ વર્ષનો વિક્રમ આજે 30 વર્ષનો થયો

મને કાંઇ યાદ આવતું નથી… માત્ર પાંચ વર્ષની ઉંમર હતી. અને ભુકંપનાં દિવસે સાંજે ભુજનાં રેલ્વે સ્ટેશન પિટ લાઇનો છે, ત્યાં એકલો-અટુલો દેખાયો. નાનું બાળક… કાંઇ સમજ નહીં… ખાસ કાંઇ બોલી નશકે… બોલે તો કોઇ વાત સમજાય નહીં. આખોમાં દળ-દળ આસું… માતા-પિતા અને પરિવાર ને શોધી રહેલ બાળક ચારેબાજુ વિનાશ જોઇ ખૂબજ ડરી ગયેલો જોવા […]

જન્મદિનને યાદગાર બનાવવા સેવાકાર્ય માટે અનુદાન અપાયું

નવલસિંહજી કલુભા જાડેજા તારીખ 20મી એપ્રિલે 80 વર્ષની મંજલિ કાપી 81માં વર્ષમાં પ્રવેશ કરશે. પોતાનાં જન્મદિનને સેવાકાર્યો સાથે યાદગાર બનાવવા કચ્છની 16 સંસ્થાઓને ચેકો અર્પણ કર્યા હતા. માનવસેવા અને જીવદયાક્ષેત્રે કાર્યકરતી ભુજની માનવજ્યોત સંસ્થાને રૂ 51 હજારનો ચેક શ્રી નવલસિંહ જાડેજાએ અર્પણ કર્યો હતો. આ પ્રસંગે અરવિંદભાઇ ગોર, ભરતભાઇ ગોર, જે.પી.ગોર, જયદેવસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા […]

60 વૃદ્ધ-વડીલોએ યાત્રા કરી ધન્યતા અનુભવી વિરાંગના બહેનો પણ જોડાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતાશ્રી સવરાજભાઇ લખમણ સાખરા ભુજપુરનાં સહયોગથી તેમજ ક્રિશિવ ફાઉન્ડેશનનાં નયનાબેન ગોસ્વામી, પ્રેરણા મહિલા મંડળનાં વંદનાબેન ભાવસાર તથા પિંગલેશ્ર્વર પુનમ ગ્રુપનાં મીરાંબેન જેઠીનાં સાથ-સહકારથી 60 વૃદ્ધ વડીલોને નારાયણ સરોવર, કોટેશ્ર્વર, માતાનામઢ તીર્થોની યાત્રા કરાવાઇ હતી. ભુજ મધ્યે યાત્રા બસને માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજાએ સ્ટાર્ટ આપ્યો હતો. પ્રારંભે યાત્રા પ્રવાસમાં જોડાયેલા ચારે […]

કુંડા-ચકલીઘર ઠેરઠેર લટકાવી લોકો જીવદયા કાર્યમાં જોડાયા

ઉનાળાની કાળઝરતી ગરમીમાં અબોલા જીવોને તેમજ તરસ્યા પશુ-પક્ષીઓને પીવાનું પાણી મળી રહે એવા ઉદ્દેશ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા 21 વર્ષથી જીવદયા ક્ષેત્રે અનોખું કાર્ય દાતાશ્રીઓ અને જીવદયા પ્રેમીઓના સાથ-સહકાર અને સહયોગથી કરવામાં આવી રહ્યું છે. શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ -દાદર તથા કોટી વૃક્ષ અભિયાન-બીદડા, જીવદયાના આ કાર્યમાં સહકાર આપી રહ્યા છે. માનવજ્યોતનાં કુંડા […]

ચૈત્રી નવરાત્રી અને રામનવમી નિમિત્તે બાળશ્રમયોગીઓને શૈક્ષણિક સાધનો તથા મીઠાઇ અર્પણ કરાયા

ચૈત્રી નવરાત્રી અને રામનવમી નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી ભગવતી વિદ્યામંદિરનાં બાળશ્રમયોગીઓને શૈક્ષણિક સાધનો તથા મીઠાઇ અર્પણ કરાયા હતા. બાળકોએ ખુશી વ્યક્ત કરી હતી. રાજુભાઇ દાફડા, માલશીં માતંગ, રમણિક ઝાલા, જશાભાઇ મોથારિયા તથા માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, શિક્ષીકા કાન્તાબેન જોગી ઉપસ્થિત રહી બાળકોને શૈક્ષણિક સાધનો તથા લાડુ અર્પણ કરી ચૈત્રી નવરાત્રી, આઠમ તથા […]

ચૈત્રી નવરાત્રી આઠમનાં વધી પડેલા મહાપ્રસાદમાંથી 4 હજાર ગરીબો ભરપેટ જમ્યા

ચૈત્રી નવરાત્રી આઠમનાં દિવસે મહાપ્રસાદ વધી પડ્યા હોવનાં માનવજ્યોત સંસ્થાને 13 ફોન આવ્યા હતા. પદ્ધર, કાળીતળાવડી, લાખોંદ, રતનાલ, સુમરાસર, મીરઝાપર તેમજ ભુજ, માધાપરની મળી 13 સમાજવાડીઓમાંથી મહાપ્રસાદ વધી પડ્યાનાં ફોન માનવજ્યોત સંસ્થાને મળતાં આ બધો મહાપ્રસાદ એકઠો કરી સંસ્થાએ ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે પહોંચાડતા 4 હજાર ગરીબો ભરપેટ પ્રસાદ જમ્યા હતા. તેમનો જઠારાગ્નિ ઠરતાં તેઓએ અંતરનાં આશિર્વાદ […]

કોડકી ગામે નિઃશુલ્ક કુંડા-ચકલીઘર વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કોડકી પ્રાથમિક શાળા મધ્યે કુંડા-ચકલીઘર વિતરણ કાર્યક્રમ ગામના સરપંચ વંકાભાઇ રબારી, શાળાના મુખ્ય શિક્ષક શ્રી મહેશભાઇ ત્રિવેદી તથા સ્ટાફ સર્વે અને ગામવાસીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. માનવજ્યોત દ્વારા 150 કુંડા અને 150 ચકલીઘર નિઃશુલ્ક વિતરણ કરાયા હતા. સંસ્થાનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોનીએ ચકલીદિવસનું મહત્વ સમજાવ્યું હતું. પંચાયતના સભ્યો હરજીભાઇ મહેશ્ર્વરી, […]

ઉત્તરપ્રદેશનો ગુમ યુવાન 4 વર્ષ પછી મળ્યોપિતા-પુત્રીનું 4 વર્ષે થયું મિલન

ઉત્તરપ્રદેશનાં પુરવા જીલ્લાનાં બેરાઇચ ખારિધાર વિસ્તારનો યુવાન દુઃખીરામ ઉ.વ. 31 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે અનેક રાજ્યોમાં સતત રખડતો-ભટકતો રહ્યો હતો. ચાર વર્ષ પછી તે કચ્છનાં માંડવી તાલુકાનાં નાનાભાડિયા વિસ્તારમાંથી માનવજ્યોતનાં કાર્યકર દેવાંગભાઇ ગઢવીને મળી આવતાં તેમણે પોતનાં વાહન મારફતે આ યુવાનને માનવજ્યોત કાર્યાલયે પહોંચાડેલ. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે તેને […]