Monthly Archives: July 2026

માતા રાહ જોતા દુનિયા છોડી ગયા, પિતાએ માનસિક સમતુલા ગુમાવી; ભાઈ સાથેનું મિલન બન્યું ભાવવિભોર

બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના પીપરાળા ગામનો સંજયરામ માત્ર 15 વર્ષની ઉંમરે ઘરેથી ગુમ થઈ ગયો હતો. પરિવારજનોએ વર્ષો સુધી તેની સતત શોધખોળ કરી હતી, પરંતુ તેનો કોઈ અત્તોપત્તો મળ્યો નહોતો. દરમિયાન તે વિવિધ રાજ્યોના શહેરો અને ગામોમાં રખડતો-ભટકતો રહ્યો હતો અને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરતો રહ્યો હતો. પુત્રના વિયોગમાં પરિવાર સતત ચિંતામાં દિવસો પસાર કરતો રહ્યો […]

વડીલોના ચહેરાપર ખીલ્યો ભક્તિ અને આનંદનો અજવાસ

માનવજ્યોત સંસ્થા, ભુજ સંચાલિત શ્રી એલ. એમ. ભક્તા વડીલોનો વિસામો દ્વારા એક સદગૃહસ્થ દાતાશ્રીના સહયોગથી 60 વૃદ્ધવડીલો માટે પવિત્ર તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન વડીલોએ પુંઅરેશ્ર્વર, માતાનામઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, કટેશ્વર તથા કમલેશ્વર મહાદેવના પવિત્ર દર્શન કરી આધ્યાત્મિક શાંતિ અને પરમ આનંદની અનુભૂતિ કરી હતી. યાત્રાની શરૂઆત સંસ્થાના પૃથ્વીરાજસિંહના હસ્તે યાત્રા બસને લીલીઝંડી […]

વર્ષો બાદ ચાર માનસિક દિવ્યાંગો પહોંચ્યા પોતાના પરિવાર સુધીમાનવજ્યોતના પ્રયાસોથી લાગણીસભર પુનર્મિલન; વર્ષોની રાહનો આવ્યો અંત

માનવજ્યોત, ભુજ દ્વારા માનવતાનું વધુ એક હૃદયસ્પર્શી કાર્ય સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. અપનાઘર, વિરમગામ સંસ્થામાંથી 10 માનસિક દિવ્યાંગોને તેમના મૂળ ઘર અને પરિવાર સુધી પહોંચાડવાના હેતુથી ભુજ લાવવામાં આવ્યા હતા. તેમને માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ, પાલારા-કચ્છ ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ વિવિધ રાજ્યોની પોલીસના સહયોગથી માત્ર દસ […]

હરતા-ફરતા છાશ કેન્દ્રનું ક્ષમાપનઅનેકવિધ લોકોએ લાભ લીધો

માનવજયોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભરતભાઇ દલાલ, ગોવિંદભાઇ ભુડીયા, અમૃતબેન ભુડીયાના સહયોગથી હરતું-ફરત છાશ કેન્દ્રનું ક્ષમાપન કરાયું છે. સંસ્થાનાં અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં જરૂરતમંદ લોકો તથા શ્રમજીવી વર્ગને દરરોજ નમક-જીરા-બરફવાળી સ્વાદિષ્ટ ઠંડી છાશ પીવડાવવામાં આવી હતી. દરરોજ ૩૦૦ લીટર છાશ હરતા-ફરતા વાહનથી શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં […]