Monthly Archives: April 2026

ભુકંપમાં માતા-પિતા તથા પરિવાર ગુમાવનાર પાંચ વર્ષનો વિક્રમ આજે 30 વર્ષનો થયો

મને કાંઇ યાદ આવતું નથી… માત્ર પાંચ વર્ષની ઉંમર હતી. અને ભુકંપનાં દિવસે સાંજે ભુજનાં રેલ્વે સ્ટેશન પિટ લાઇનો છે, ત્યાં એકલો-અટુલો દેખાયો. નાનું બાળક… કાંઇ સમજ નહીં… ખાસ કાંઇ બોલી નશકે… બોલે તો કોઇ વાત સમજાય નહીં. આખોમાં દળ-દળ આસું… માતા-પિતા અને પરિવાર ને શોધી રહેલ બાળક ચારેબાજુ વિનાશ જોઇ ખૂબજ ડરી ગયેલો જોવા […]

જન્મદિનને યાદગાર બનાવવા સેવાકાર્ય માટે અનુદાન અપાયું

નવલસિંહજી કલુભા જાડેજા તારીખ 20મી એપ્રિલે 80 વર્ષની મંજલિ કાપી 81માં વર્ષમાં પ્રવેશ કરશે. પોતાનાં જન્મદિનને સેવાકાર્યો સાથે યાદગાર બનાવવા કચ્છની 16 સંસ્થાઓને ચેકો અર્પણ કર્યા હતા. માનવસેવા અને જીવદયાક્ષેત્રે કાર્યકરતી ભુજની માનવજ્યોત સંસ્થાને રૂ 51 હજારનો ચેક શ્રી નવલસિંહ જાડેજાએ અર્પણ કર્યો હતો. આ પ્રસંગે અરવિંદભાઇ ગોર, ભરતભાઇ ગોર, જે.પી.ગોર, જયદેવસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા […]

60 વૃદ્ધ-વડીલોએ યાત્રા કરી ધન્યતા અનુભવી વિરાંગના બહેનો પણ જોડાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતાશ્રી સવરાજભાઇ લખમણ સાખરા ભુજપુરનાં સહયોગથી તેમજ ક્રિશિવ ફાઉન્ડેશનનાં નયનાબેન ગોસ્વામી, પ્રેરણા મહિલા મંડળનાં વંદનાબેન ભાવસાર તથા પિંગલેશ્ર્વર પુનમ ગ્રુપનાં મીરાંબેન જેઠીનાં સાથ-સહકારથી 60 વૃદ્ધ વડીલોને નારાયણ સરોવર, કોટેશ્ર્વર, માતાનામઢ તીર્થોની યાત્રા કરાવાઇ હતી. ભુજ મધ્યે યાત્રા બસને માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજાએ સ્ટાર્ટ આપ્યો હતો. પ્રારંભે યાત્રા પ્રવાસમાં જોડાયેલા ચારે […]

કુંડા-ચકલીઘર ઠેરઠેર લટકાવી લોકો જીવદયા કાર્યમાં જોડાયા

ઉનાળાની કાળઝરતી ગરમીમાં અબોલા જીવોને તેમજ તરસ્યા પશુ-પક્ષીઓને પીવાનું પાણી મળી રહે એવા ઉદ્દેશ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા 21 વર્ષથી જીવદયા ક્ષેત્રે અનોખું કાર્ય દાતાશ્રીઓ અને જીવદયા પ્રેમીઓના સાથ-સહકાર અને સહયોગથી કરવામાં આવી રહ્યું છે. શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ -દાદર તથા કોટી વૃક્ષ અભિયાન-બીદડા, જીવદયાના આ કાર્યમાં સહકાર આપી રહ્યા છે. માનવજ્યોતનાં કુંડા […]