Category Archives: News/Events

ગુજરાતની વિવિધ સંસ્થાઓનાં ૨૦૦ માનસિક દિવ્યાંગોને ભુજની માનવજ્યોત સંસ્થાએ ઘર સુધી પહોંચતા કર્યા

ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ગુજરાતનાં વિવિધ માનસિક દિવ્યાંગોનાં આશ્રમોનો સંપર્ક કરી તેમની સાથે સંકલન કરી તેઓનાં આશ્રમમાં રહેલા માનસિક દિવ્યાંગોના ઘર શોધી, પરિવાર સાથે ફેરમિલન કરાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. સંસ્થાના અધ્યક્ષ પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજાનાં જણાવ્યા મુજબ મોરબી, મહુવા, સોમનાથ, બાયડ, આણંદ, ગાંધીધામ, ભચાઉની વિવિધ માનસિક દિવ્યાંગોની સંસ્થાઓ સાથે સંકલન કરવામાં […]

નવરાત્રીના નવે દિવસ માનસિક દિવ્યાંગો ગરબે ગુમ્યા આગેવાનો પણ રાસ રમ્યા

મિલેસૂર હમારા વુમન્સ મ્યુઝિકલ સંસ્થા અને સૂર આરાધના મ્યુઝિકલ સંસ્થા ભુજ દ્વારા માનવજયોત સંસ્થા ભુજનાં સથવારે શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગ ભાઈ-બહેનો સાથે રાસ-ગરબાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. પ્રારંભે મા જગદંબાની આરતી ઉતારવામાં આવેલ. ભુજનાં સામાજિક આગેવાન અને સંગીતપ્રેમી શ્રી ઝવેરીલાલભાઈ સોનેજીએ પોતાનાં જન્મદિવસની ઉજવણી માનવજયોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં […]

અન્નનો બગાડ અટકયો…ગરીબોનાં પેટનો જઠારાગ્નિ ઠર્યો આઠમની અનેરી ઉજવણી

“મા,, નવદુર્ગાની નવલી નવરાત્રી નિમિત્તે અષ્ટમી આઠમનાં ઠેર-ઠેર મહાપ્રસાદનાં કાર્યક્રમો યોજાયા હતા. ભુજ અને ભુજ વિસ્તારનાં અનેક ગામોમાં વધી પડેલો મહાપ્રસાદ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા એકઠો કરવામાં આવ્યો હતો. બપોરથી રાત સુધીમાં રસોઈ વધી પડ્યાનાં ૨૩ ફોન આવ્યા હતા. વરલી, રતનાલ, કોટડા ચકાર, માધાપર, લાખોંદ, સુખપર, માનકુવા, થરાવડા વિગેરે ગામો તથા ભુજની ૮ સમાજવાડીમાંથી ૧૦ […]

આંધ્રપ્રદેશની યુવતી ૩ મહિનાં પછી મળી આંધ્રપ્રદેશ પોલીસ પહોંચી ભુજ

આંધ્રપ્રદેશનાં કુરનુલ જીલ્લાની લક્ષ્મીકલાવંતી ઉ.વ. ૨૪ ગુમ થતાં પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરિવારજનો ખૂબ જ દુઃખી હતા. યુવાન દીકરીનું હવે શું થાશે તેની ચિંતામાં પરિવારજનો બેચેન બન્યા હતા. આંધ્રપ્રદેશ થી ટ્રેન મારફતે તે ગુજરાતમાં પહોંચી હતી અને જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ મધ્યે આશ્રય મેળવ્યું હતું. માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા […]

સંસ્થાને ૪૦ હજારનું અનાજ અપાયું

માનવજ્યોત સંસ્થા ભુજને માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે દાતા શ્રી ઝેડ.એમ.મુનશીં પરિવાર-ભુજ દ્વારા રૂા. ૪૦ હજારનું રાશન અર્પણ કરાયું હતું. શ્રી પ્રબોધ મુનવર,પૃથ્વીરાજસિંહ જાડેજા,રફીક બાવાએ દાતાશ્રી પરિવારનો આભાર માન્યો હતો.

મધ્યપ્રદેશની મહિલા બે વર્ષ પછી મળી આવી ૧૪ વર્ષ પહેલાં પતિએ તેને મૂકી દીધી હતી

મધ્યપ્રદેશનાં ધાર જીલ્લાનાં ધરમપુરી વિસ્તારની મહિલા મણી ઉ.વ. ૩૭ બે વર્ષ પહેલાં ગુમ થઇ હતી. પરિવાર તેને શોધી રહ્યો હતો પણ તે રખડતી ભટકતી બાયડનાં જય અંબે મંદબુદ્ધિ આશ્રમે પહોંચી હતી. માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા તેને ભુજ તેડી આવ્યા હતા. મધ્યપ્રદેશ પોલીસની મદદ લઇ તેનું ઘર શોધી કાઢ્યું હતું. તેના પરિવારજનો ને સમાચાર મળતાં […]

સંસ્થાને રાશન અર્પણ કરાયું

રીન્યુપાવર કાં. દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છને માનસિક દિવ્યાંગોના ભોજન માટે ૧૨ બાચકા ચોખા અર્પણ કરાયા હતા. રીન્યુ પાવર કાં નાં વિજય પ્રસાદ, સાજીદભાઈ, નીતીન ગોયેલ, સચીનકુમાર, સુરેશ રાઠોડ, ગોપાલભાઇ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટીએ આભાર માન્યો હતો.

માનવજ્યોતને ૫૧ હજારનું અનુદાન અપાયું

માનવજ્યોત સંસ્થા ભુજની માનવસેવા અને જીવદયાની પ્રવૃત્તિઓ નજરે નિહાળી દાતાશ્રી અ.નિ. કલ્યાણભાઇ તેજાભાઈ હીરાણી સુખપર તથા અ.નિ. માતુશ્રી દેવબાઇ તથા સુપુત્રો નાનજીભાઇ, પ્રેમજીભાઈ, ધનજીભાઈ, મનજીભાઇ અરવિંદભાઇ અને સુરેશભાઇ દ્વારા રૂા. ૫૧ હજારનો ચેક અર્પણ કરાયો હતો. સંસ્થાનાં પ્રબોધ મુનવર, ગોવિંદભાઇ પાટીદાર તથા નરશીંભાઇ પટેલે દાતા પરિવારનો આભાર માન્યો હતો.

રાષ્ટ્ર સંત અચલગચ્છાધિપતિશ્રીની ૩૫મી પુણ્યતિથિ ઉજવાઇ

રાષ્ટ્રસંત, અચલગચ્છાધિપતિ, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબની ૩૫મી પુણ્યતિથિએ તેઓની ગુણાનુવાદસભા યોજાઇ હતી. પૂજ્ય સાધ્વી શ્રી પુનિતગુણાશ્રીજી મહારાજ સાહેબ આદિઠાણા-૩ ની નિશ્રામાં વર્ધમાનનગર જૈન સંઘ દ્વારા વર્ધમાનનગર અચલગચ્છ જૈન ઉપાશ્રય મધ્યે તા. ૧૩ થી ૧૫ સુધી સવારે ૮-૩૦ કલાકે ત્રિદિવસિય ધાર્મિક કાર્યક્રમો કલોલ: યોજાયા હતા. પૂજ્યશ્રીએ ગચ્છની ઉન્નતિ માટે કરેલા કાર્યોને બિરદાવવામાં […]

મધ્યપ્રદેશનો યુવાન ૧૦ વર્ષ પછી ઘરે પહોંચ્યો પત્નીએ બીજા લગ્ન કરી લીધા પોલીસ અને પત્રકાર મદદરૂપ બન્યા

મધ્યપ્રદેશના ધાર વિસ્તારનાં રાયગઢ તાલુકાનાં તિરલા ગામનો યુવાન અમરસિંઘ ઉ.વ. ૩૦ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે સતત રખડતો ભટકતો રહ્યો હતો. આખરે તે સૌરાષ્ટ્રનાં મહુવા શહેરના પોપટભાઇ ફાઉન્ડેશન સંસ્થામાં પહોંચ્યો હતો. સંસ્થાએ તેની ખૂબ જ સારી સેવાઓ કરી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવજયોત […]