Author Archives: PRABODH MUNVAR

અધિક માસ અમાસ નિમિતે શ્રદ્ધાળુઓએમાનસિક દિવ્યાંગો અને વૃદ્ધોને સ્વહસ્તે ભોજન કરાવ્યું

અધિક માસના પવિત્ર અવસરે સેવાભાવના કાર્યોને પ્રાધાન્ય આપતાં અનેક શ્રદ્ધાળુઓ અને સેવાભાવીઓએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ તથા વડીલોનો વિસામો, પાલારા-કચ્છ ખાતે પહોંચી માનસિક દિવ્યાંગ ભાઈ-બહેનો તેમજ વૃદ્ધ વડીલોને સ્વહસ્તે ભોજન કરાવી અનોખી માનવસેવા અર્પણ કરી હતી. અધિક માસની સોમવતી અમાસ નિમિતે વિવિધ મહિલા મંડળો, ધાર્મિક સંસ્થાઓ, ટ્રસ્ટો અને સેવાભાવી ગ્રુપોના સભ્યો આશ્રમમાં […]

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતાં સેવાભાવીઓનું સન્માન

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજ સ્થિત માનવજ્યોત સંસ્થાના કાર્યાલયની મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે માનવજ્યોત સંસ્થાના પ્રમુખ શ્રી પ્રબોધ મુનવરને સાંસદશ્રી દ્વારા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સંસ્થા દ્વારા કરવામાં આવતા વિવિધ સેવાકીય કાર્યોને બિરદાવવામાં આવ્યા […]

૧૦૦ જરૂરિયાતમંદ પરિવારોને ઠંડા પાણીનાં માટલાંનું વિતરણ

ઉનાળાની કાળઝાળ ગરમીમાં જરૂરિયાતમંદ પરિવારોને પીવા ઠંડુ પાણી મળી રહે તેવા હેતુ સાથે માનવજ્યોત સંસ્થા દ્વારા ભુજ વિસ્તારના ભૂંગા-ઝુંપડામાં રહેતા ૧૦૦ પરિવારોને નળ સાથેના ઠંડા પાણીનાં માટલાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભુજ વિસ્તારમાં એવા અનેક પરિવારો વસવાટ કરે છે કે જેમના ઘરમાં ફ્રિઝ કે વોટર કુલરની સુવિધા ઉપલબ્ધ નથી. આવા પરિવારોને ઉનાળાની અસહ્ય ગરમીમાં રાહત […]

વીરમગામ પાસેથી રસ્તામાંથી મળી આવેલ માનસિક દિવ્યાંગને માનવજ્યોત ભુજ સુધી પહોંચજતો કરાયો

સેવાભાવીઓની સેવા અનેરી હોય છે અને આવી સેવા થકી રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને ફરી પાછું પોતાનું પરિવાર મળે છે ત્યારે પરિવારમાં ખુશી છવાઇ જાય છે. માધાપરનાં કિરણભાઇ મહેતા અમદાવાદથી ભુજ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં વીરમગામ પાસે બળબળતા તાપથી ગરમીનાં પરસેવાથી ભીંજાઇ ગયેલા અને તરસ્યો,ભૂખ્યો માનસિક દિવ્યાંગ યુવાન માર્ગ ઉપરથી […]

નામદાર મહારાઓશ્રી પ્રાગમલજી ત્રીજાની પાંચમી પુણ્યતિથિએ સેવા કાર્યો કરાયા

નામદાર મહારાઓશ્રી પ્રાગમલજી ત્રીજાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા માનસિક દિવ્યાંગો, એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધો, રંક બાળકોને ભોજન કરાવવામાં આવેલ. પક્ષીઓને ચણ, શ્ર્વાનોને રોટલા, ગાય માતાઓને ઘાસચારો, માછલીઓને લોટ, કીડીઓને કીડીયારું અર્પણ કરી જીવદયાનાં કાર્યો કરવામાં આવેલ. મહારાઓશ્રી પ્રાગમલજી ત્રીજાને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ. કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, રવિન્દ્રભાઇ સંઘવી, જીતેન્દ્રભાઇ ધારશીં શાહ, પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ […]

કેરા મંદિરમાં પાટોત્સવ પ્રસંગે ભુજની માનવજ્યોત સંસ્થાને 75 હજારનું અનુદાન અપાયું

સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનાં કેરા મંદિરે પાટોત્સવ પ્રસંગે મુળ કેરાનાં હાલે મોમ્બાસાવાસી દાતા ઘનશ્યામભાઇ માવજી ટપરિયાએ પુત્ર સ્વ. રાજેશની સ્મૃતિમાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનાં આચાર્ય મહારાજ શ્રી જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામિનાં વરદ્ હસ્તે ભુજની માનવજ્યોત સંસ્થાને રુ. 75000 નું અનુદાન અપાયું હતું. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

પૂ. ગુરુદેવ શ્રીશ્રી રવીશંકરજીનાં 70 માં જન્મદિને“અનસંગ એવરીડે હીરોઝ એવોર્ડ,, અર્પણ કરાયો

ધી આર્ટ ઓફ લીવીંગ બેંગ્લોર દ્વારા પૂ. ગુરુદેવ શ્રી શ્રી રવીશંકરજીનાં 70માં જન્મદિન નિમિત્તે ગાંધીધામ- કચ્છ મધ્યે કચ્છનાં પ્રબોધ મુનવરને સમાજસેવા ક્ષેત્રે તથા હીરલબા ચૌહાણને સ્પોર્ટસ ક્ષેત્રે “અનસંગ એવરીડે હીરોઝ એવોર્ડ” અર્પણ કરાયો હતો. કચ્છમાંથી 23 નોમીનેશન આવેલા. જે બેંગ્લોર ધી આર્ટ ઓફ લીવીંગ સેન્ટર બેંગ્લોર ને મોકલવામાં આવેલ. પૂજ્ય ગુરુદેવ શ્રીશ્રી રવિશંકરજી એ બે […]

રાતાતળાવ-સણોસરા વચ્ચે ભૂંગા-ઝુંપડામાં રહેતા મહિલાઓને નવી સાડીઓ વિતરણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સણોસરા-રાતાતળાવ વચ્ચે રોડની એક સાઇડમાં ખુલ્લામાં પડ્યા-પાથર્યા રહેતા પરિવારો, ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા મહિલાઓને નવી સાડીઓ અર્પણ કરાઇ હતી. બળબળતા તાપ અને સખત ગરમીમાં ખુલ્લામાં રહેતા પરિવારોનાં મહિલાઓને નવી સાડીઓ અર્પણ કરાતાં પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી. વ્યવસ્થા પ્રબોધ મુનવર, હિતેશ ગોસ્વામી તથા અમૃતલાલ ડાભીએ સંભાળી હતી.

આણંદ આશ્રમનાં 8 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને ભુજથી તેમનું ઘર શોધી આપી, પરિવાર સાથે મિલન કરાવાશે

માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ આણંદનાં 8 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો ભુજથી પોતાનાં ઘર સુધી પહોંચશે. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને સેવાશ્રમ સ્થળે લાવી તેમનું રાજ્ય, શહેર, ગામ, પરિવાર શોધી આપી વર્ષો પછી પરિવાર સાથે ફેર મિલન. કરાવવાનું કાર્ય કરવામાં આવે છે. માનવજ્યોતના પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ સંસ્થાનાં સામાજિક […]

ભુકંપમાં માતા-પિતા તથા પરિવાર ગુમાવનાર પાંચ વર્ષનો વિક્રમ આજે 30 વર્ષનો થયો

મને કાંઇ યાદ આવતું નથી… માત્ર પાંચ વર્ષની ઉંમર હતી. અને ભુકંપનાં દિવસે સાંજે ભુજનાં રેલ્વે સ્ટેશન પિટ લાઇનો છે, ત્યાં એકલો-અટુલો દેખાયો. નાનું બાળક… કાંઇ સમજ નહીં… ખાસ કાંઇ બોલી નશકે… બોલે તો કોઇ વાત સમજાય નહીં. આખોમાં દળ-દળ આસું… માતા-પિતા અને પરિવાર ને શોધી રહેલ બાળક ચારેબાજુ વિનાશ જોઇ ખૂબજ ડરી ગયેલો જોવા […]