માનવજ્યોત દ્વારા 27 ફેબ્રુઆરી વિશ્ર્વ એન.જી.ઓ. દિવસ ઉજવાયો

દર વર્ષે 27 મી ફેબ્રુઆરીએ “વિશ્ર્વ એન.જી.ઓ. દિવસ’’ ઉજવવામાં આવે છે. પ્રથમ વિશ્ર્વ એન.જી.ઓ. દિવસ વર્ષ 2014 માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મનાવવામાં આવેલ. એન.જી.ઓ. સ્થાનિક-પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળે છે. આર્થિક, સામાજિક, શૈક્ષણિક જેવા તમામ ક્ષેત્રોમાં એન.જી.ઓ. મહત્વનો ભાગ ભજવે છે. એન.જી.ઓ. વિવિધ પ્રકારની સેવાઓ પ્રદાન કરતા હોય છે અને તેમનો સમાજનાં નિર્માણમાં મહત્વનો […]

રમઝાન માસનાં પ્રથમ રોઝા દિને ગુમ યુવાનને 31 વર્ષે પરિવાર મળ્યો

ઉત્તરપ્રદેશનાં શ્રાવરતી જીલ્લાનાં ઇકોના ગામના નરપતપુર વિસ્તારમાં રહેતો યુવાન અકબરઅલી ઉ.વ. 26 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. વર્ષોનાં વર્ષો વીતી ગયા પછી પરિવારજનોએ માની લીધું હતું કે હવે તે આ દુનિયામાં નહીં હોય. ઘરેથી નીકળ્યા પછી તે અનેક રાજ્યોનાં શહેરો, ગામોમાં તે સતત રખડતો-ભટકતો અને અનેકવિધ મુશ્કેલીઓ વેઠતો રહ્યો હતો. ઉપર આભ-નીચે […]

માનવજ્યોતને નવું વાહન અર્પણ કરાયું

માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસનમુક્તિ ક્ષેત્ર સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાને દાતાશ્રી અ.નિ. માતુશ્રી અમરબાઇ માવજીભાઇ ગોરસીયા પરિવાર ભુજ દ્વારા નવું છ સીટર ઇકો વાહન ભુજ સ્વામિનારાયણ મંદિર મધ્યે ભુજ સ્વામિનારાયણ મંદિરનાં કોઠારી દેવપ્રકાશ સ્વામિ, કોઠારી ગૌલોકવિહારી સ્વામી, સદગુરુ પાર્ષદવર્ય શ્રી જાદવજી ભગતની ઉપસ્થિતિ અને આશિર્વાદ સાથે અર્પણ કરાયું હતું. આ પ્રસંગે […]

ભારતીય જૈન સંગઠન બીજેએસ મહિલા વિંગ ભુજ દ્વારા પ્રજાસત્તાક દિનની અનોખી ઉજવણી કરાઇ

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભારતીય જૈન સંગઠન બીજેએસ મહિલા વિંગ ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો વચ્ચે રહી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલ.માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોએ હાથમાં તિરંગો લઇ તિરંગો લહેરાવ્યો હતો. ગીતાબેન પારેખ, મનીષાબેન મહેતા, ડીમ્પલબેન ભનશાલી, નીશાબેન ખંડોલ, સોનુબેન કોઠારી, હીરાબેન શાહ, મયુરી દોશી, સોનુબેન મહેતા સહિતનાં […]

પાંચ ગંગાસ્વરૂપ મહિલાઓને સિવણ મશીનનો અર્પણ કરાયા

ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા દાતાશ્રી સ્વ. ગૌરીબેન મોહનલાલ મહેતા હસ્તે રમાબેન શિરિષભાઇ મહેતા- વર્ધમાનનગર-કચ્છ હાલે અમેરિકા પરિવારનાં સહયોગથી પાંચ ગંગાસ્વરૂપ મહિલાઓને સિવણ મશીનો અર્પણ કરાતાં ગંગાસ્વરૂપ મહિલાઓએ અનેરી ખુશી વ્યક્ત કરી હતી. અત્યાર સુધીમાં માનવજ્યોત સંસ્થાએ 671 ગંગાસ્વરૂપ મહિલાઓને સિલાઇ મશીનો અર્પણ કરી પગભર કરવાનાં પ્રયત્નો કર્યા છે. દાતાશ્રીની અંતરની ભાવનાઓને બિરદાવી દાતા પરિવારશ્રીનો આભાર […]

મકરસક્રાંતિ પર્વે સેવાભાવીઓ માનસિક દિવ્યાંગોની સેવા કરવાશ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પહોંચ્યા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મકરસક્રાંતિ પર્વ નિમિત્તે માનવસેવા અને જીવદયાનાં વિવિધ કાર્યો કરાયા હતા. સેવાભાવીઓ માનસિક દિવ્યાંગોની સેવા કરવા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પહોંચ્યા હતા. અને સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગોને નવા વસ્ત્રો, બ્લેંકેટ, ખાવા-પીવાની વસ્તુઓ આપી, તેમને સ્વહસ્તે ભાવતાં ભોજનીયા જમાડ્યા હતા. માનસિક દિવ્યાંગોને ભોજન,વૃદ્ધોને ઘેર બેઠા ટીફીનો દ્વારા ભોજન, રંક બાળકો તથા બાળશ્રમયોગીઓને ભોજન, […]

શ્રી ભુજ લોહાણા મહિલા મંડળ દ્વારા મકરસક્રાંતિ પર્વેવસ્ત્રો તથા અન્ય વસ્તુઓ માનવજ્યોતને અર્પણ કરાઇ

શ્રી ભુજ લોહાણા મહાજન સંચાલિત શ્રી ભુજ લોહાણા મહિલા મંડળ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાને મકરસક્રાંતિ પર્વ નિમિત્તે જરૂરતમંદ લોકો તથા માનસિક દિવ્યાંગો માટે વસ્ત્રો તથા અન્ય વસ્તુઓ અર્પણ કરાઇ હતી. મહિલા મંડળનાં બધાજ બહેનોએ વસ્ત્રો તથા અન્ય વસ્તુઓ એકઠી કરી હતી. શ્રી લોહાણા મહિલા આશ્રમના બહેનો દ્વારા પણ માનવજ્યોતને વસ્ત્રો અર્પણ […]

ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ કેપીટલ દ્વારામાનવજ્યોત સંસ્થાને 20 ખુરશીઓ અર્પણ કરાઇ

ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ કેપીટલ દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થાને “વડીલોનો વિસામો,, સેવાશ્રમ માટે વીશ ખુરશી અર્પણ કરાઇ હતી. ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ કેપીટલનાં ડીસ્ટ્રીકટ ચેરમેન બિંદુબેન ગુપ્તા, ડીસ્ટ્રીકટ સેક્રેટરી રચનાબેન શાહ, કલબ પ્રેસીડેન્ટ ડીમ્પલબેન દોશી, કલબ સેક્રેટરી ડીમ્પલબેન છાયા, ચાર્ટર પ્રેસીડેન્ટ રૂપલબેન રેલોન, સેક્રેટરી નેહાબેન ઠક્કર, ખજાનચી અરૂણાબેન રાઠોડ, આઇ.એસ.ઓ. વિમલાબેન મહેશ્ર્વરી, કલબ મેમ્બર પ્રિયાબેન […]

ઉત્તરપ્રદેશનો ગુમ મુસ્લિમ યુવાન 3 વર્ષ પછી ઘરે પહોંચ્યો

ઉત્તરપ્રદેશનાં મુરાદાબાદ વિસ્તારનાં બીલારી ગામનો યુવાન મોહમદ નજિમ ઉ.વ. 31 ગુમ થતં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. કયાં પણ એનાં ખબર નમળતાં પરિવારજનોએ નિરાશા અનુભવી ચિંતા સેવી હતી. 3 વર્ષ પછી આખરે તે રખડતો-ભટકતો રેલ્વે માર્ગે ભુજ પહોંચી ભુજથી પગે ચાલીને જતો રસ્તામાં કોડાયપુલ- બિદડા વચ્ચેથી નાના ભાડીયાનાં સામાજિક કાર્યકર દેવાંગભાઇ ગઢવી તથા ત્રગડીનાં […]

૪૭૫ વિદ્યાર્થીઓએ માનવજ્યોત સંસ્થા ભુજમાં સામાજિક કાર્યકરની ટ્રેનીંગ મેળવી

ગુજરાતની વિવિધ વિદ્યાપીઠો, યુનિવર્સીટીઓ, શાળા, કોલેજોનાં તેમજ ભુજની કોલેજોના વિદ્યાર્થી ભાઈ-બહેનો સામાજિક કાર્યકરની ટ્રેનીંગ માનવજ્યોત સંસ્થા ભુજમાં રહીને મેળવે છે. તેઓને ૩૦ થી ૪૫ દિવસની ટ્રેનીંગ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં ગુજરાતનાં ૪૭૫ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ માનવજ્યોત અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રહી વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાઈ સામાજિક કાર્યકર તરીકેનો અનુભવ અને ટ્રેનીંગ […]