માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છ દ્વારા વિરાંગનાં સ્કવોર્ડનાં શીતલબેન નાયી, ગાયત્રીબેન બારોટ, જશોદાબેન ધ્રાંગી, જયશ્રીબેન સાધુ, જાશ્મીનબેન કુંભાર, રમીલાબેન સાધુ, ભાવનાબેન ભરાડીયા તથા સોનલબેન ચૌધરીના વરદ્ હસ્તે જરૂરતમંદ ૧૧ પરિવારોને એક મહિનો ચાલે તેવી પાંચ વસ્તુઓ સાથેની રાશન કીટ અર્પણ કરાઇ હતી. વિરાંગનાં સ્કવોર્ડના બહેનોએ આ પ્રસંગે ઉપસ્થિત રહી સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી જરૂરતમંદ પરિવારોને મદદરૂપ બનવાનાં કાર્યની પ્રશંસા કરી હતી.
માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, રફીક બાવાએ જણાવ્યું હતું કે, જયાં જયાં જરૂરત જણાય ત્યાં કોરોના કાળમાં સંસ્થા લોકોની વચ્ચે રહી લોકોને મદદરૂપ બની રહી છે. આભારદર્શન સખી સહેલી સ્વ સહાય જુથ જન જાગૃતિ કેન્દ્રનાં અનીતાબેન ઠાકુરે કર્યું હતું.