કચ્છી દાનવીર દાતા, આરોગ્ય અને શિક્ષણક્ષેત્રે અનોખી જ્યોત જલાવનાર, ગરીબ અને દીન દુઃખીયાઓના આંસુ લુછનાર, અગ્રણી દાતા, સમાજ રત્ન હસમુખભાઇ કાનજીભાઇ ભુડિયાનું અવસાન થતાં ભુજની માનવજ્યોત સંસ્થાનાં શ્રી પ્રબોધભાઇ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટીએ તેમની પ્રેમ, સદભાવનાની સરવાણીને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.