માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુપેન્દ્રસિંહજી જોરાવરસિંહજી રાઠોડને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. સંસ્થાનાં શ્રી પ્રબોધભાઇ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, રફીક બાવાએ તેમની પ્રેમ, સદભાવનાની સરવાણીને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.