નેપાળનો નરબહાદુર બે વર્ષે ઘરે પહોંચ્યો

નેપાળનાં જેશીર્ગાંવનો યુવાન નરબહાદુર ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી. બે વર્ષ પછી તે બાયડનાં જય અંબે મંદબુદ્ધિ સેવાશ્રમ મધ્યે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલકોએ તેની ખૂબ સારી સારવાર કરી. માનવજ્યોત ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે તેડી આવ્યા. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી તેની સારવાર કરતાં તે સ્વસ્થ બન્યો હતો. નેપાળ પોલીસની મદદ લઇ તેનું ઘર-પરિવાર શોધી કઢાતાં તેનાં માતા-ભાઇ-કાકા ભુજ આવી આ યુવાનનો કબ્જો લેતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ગુમ યુવાન મળી આવતાં પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી. નેપાળનો આ યુવાન બે વર્ષ પછી તેનાં ઘર સુધી પહોંચ્યો છે.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કુરુવા, દિલીપ લોડાયા, અક્ષય
મોતા સહભાગી બન્યા હતા.