છત્તીસગઢનો કુંજરામ 3 વર્ષે ઘરે પહોંચ્યો પરિવારજનો સાથે થયું ફેરમિલન

છત્તીસગઢનો 44 વર્ષીય યુવાન કુંજરામ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. આખરે તે રખડતો-ભટકતો સોમનાથ “નિરાધારનો આધાર,, સંસ્થામાં પહોંચ્યો હતો.

માનવજ્યોત ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સોમનાથ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે તેને સાથે લઇ આવી છત્તીસગઢ પોલીસની મદદ લઇ તેનું ઘર અને પરિવાર શોધી કાઢ્યા હતા. તેનાં ભાઇ અને ભત્રીજો તેને તેડવા ભુજ આવી પહોંચ્યા હતા. 3 વર્ષ પછી બંને ભાઇઓનું મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, વેસુભા સોઢા, દિપેશ ભાટીયા, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદનાં ભુજમાં માનવજ્યોતમાં સામાજિક કાર્યકરની ટ્રેનીંગ મેળવી રહેલા છાત્રો ચેતન કુકડિયા, રવિ વનાણી, નીરૂભાઇ મેર, તથા દાતાશ્રી નારાણભાઇ વરસાણી, પરેશભાઇ હીરાણી સહભાગી બન્યા હતા.