એકલા-અટુલા-નિરાધાર ૧૦૩ વૃદ્ધ વડિલોને ઘેર બેઠા ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન

શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દાદરની પ્રેરણાથી માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા સંસ્થાના અધ્યક્ષ પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ ભુજ વિસ્તારના એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધોને દરરોજ બપોરે ઘેર બેઠાં ટીફીન પહોંચાડવામાં આવે છે. જેનું કોઇ નથી… બીજા ઉપર પરાધીન છે… એકલા અટુલા નિરાધાર છે. બિમાર છે. પથારી ઉપર છે… ચાલી શક્તા નથી… ઘરથી બહારે નીકળી શકતા નથી, રસોઇ બનાવી શકતા નથી, એવા ૧૦૩ વૃદ્ધોનાં ઘેર જઇ ટીફીન દ્વારા ભોજન પહોંચાડાય છે. માનવજ્યોતનું વાહન દરરોજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ૭૦ની વય વટાવી ચુકેલા ૧૦૩ વૃદ્ધોનાં ઘરે પહોંચે છે. અને તેમને નિઃશુલ્ક ટીફીન આપી આવે છે. દીન દુઃખીયા આવા વૃદ્ધો ટીફીનમાં આવેલી રસોઇ જમીને ખુશી અનુભવે છે. માનવજ્યોતનું વાહન સવારે ૯ વાગે ટીફીનો પહોંચાડવાનું કાર્ય શરૂ કરે છે. બપોરે બે વાગ્યા સુધી આ કાર્ય ચાલે છે. ભુજ શહેરમાં અત્યારે ૧૦૩ વૃદ્ધો ઘેર બેઠા ભોજન જમી રહ્યા છે. આ પ્રવૃત્તિના પ્રારંભે શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દાદર શ્રી એલ.ડી. શાહ-બીદડા, માતુશ્રી પુરબાઈ લખમશી લાલકા પરિવાર હસ્તે પદમશીભાઈ લાલકા તથા વિશાલભાઈ લાલકા- આદિપુર-ગાંધીધામ, ગઢવી સવરાજ લખમણ સાખરા-ભુજપુર, ટવીનલ નિખીલ કતીરા-મુલુન્ડ, શેઠ કરશનદાસ હાલુ ધર્મશાળા ચેરીટેબલ ટ્રસ્ટ-જામનગર, દેવ્યાનીબેન સુરેશભાઇ દવે-માધાપર, હીરૂબેન ગોરસીયા-લંડન-હસ્તે સુરેશભાઇ એમ. સોલંકી-માધાપર, ગોવિંદભાઇ વાલજી પાટીદાર-ભુજના સહયોગથી ૨૦ વર્ષથી આ પ્રવૃત્તિ ચાલુ છે. ૩૦ટીફીનથી શરૂ થયેલી આ પ્રવૃત્તિથી અત્યારે ૧૦૩ વૃદ્ધ વડીલો ઘેર બેઠા ભોજન જમી રહ્યા છે. આ પ્રવૃત્તિ માટે દર બારસના ભુજ સ્વામિનારાયણ મંદિર તથા દર પુનમના કબીર મંદિર ભુજ તેમજ કપીરાજ હનુમાન મંદિર – મીરઝાપર દ્વારા તૈયાર રસોઇ આપવામાં આવે છે. જેથી આ પ્રવૃત્તિ આજે પણ વણથંભી ચાલુ છે.


રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ,સહદેવસિંહ જાડેજા તથા સંસ્થાના સર્વે કાર્યકરો આ કાર્યમાં સહકાર આપી રહ્યા છે. આ કાર્ય માટે સહયોગ આપવા ઇચ્છતા દાતાશ્રીઓએ માનવજ્યોત કાર્યલાય-ભુજ મો. ૯૯૧૩૦૨૯૮૦૦ નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.