શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધની શાસ્ત્રોક્ત વિધિ સાથે ઉજવણી કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધની શાસ્ત્રોક્ત વિધિવિધાનો મંત્રોચ્ચાર, પિતૃઓને પાણી, આરતી વિગેરે સાથે ઉજવણી કરવામાં આવી હતી. દ૨૨ોજ વિવિધ મંડળો આ કાર્યમાં જોડાયા હતા. નારાયણ સરોવરનાં પ્રખ્યાત દિપક મારાજે શાસ્ત્રોક્ત વિધિ કરાવી હતી.

હાલાઇનગર મહિલા મંડળ-માધાપર, રોટરી કલબ ભુજ ફલેમિંગો-ભુજ, સુર આરાધના મ્યુઝિકલ કલબ-ભુજ, મિલે સૂર હમારા વુમન્સ કરાઓકે ગ્રુપ-ભુજ, ઈન્નર વ્હીલ કલબ-ભુજ, સની ગ્રુપ સહયોગનગર, મહાકાળી મહિલા મંડળ- વર્ધમાનનગર તથા ભુજ શહેરનાં વિવિધ મહિલા મંડળો તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ આ કાર્યમાં જોડાયા હતા.

કબીર મંદિર-ભુજ, પૂજ્ય જયામાં-ગુરૂ દયારામ સાહેબ અખંડ આનંદ કુટીયા-પખૈયા ડુંગર-અંગીયા, માવજીભાઇ વીરજીભાઈ પટેલ-બળદીયા તથા આ સર્વે મંડળો દ્વારા આશ્રમનાં માનસિક દિવ્યાંગોને ભાવતાં ભોજન જમાડવામાં આવેલ.| સંસ્થાનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, ગોવિંદભાઈ પાટીદાર, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, દિલીપ લોડાયાએ વ્યવસ્થા સંભાળી હતી.