કચ્છ ઇતિહાસ પરિષદનાં પ્રમુખને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

કચ્છ ઇતિહાસ પરિષદનાં પ્રમુખ, ક્ષત્રિત્ર્ય અગ્રણી અને વિંઝાણનાં શ્રી સાવજસિંહ જાડેજાનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ.

કચ્છનાં ઇતિહાસનાં જાણકાર અને અનેકવિધ સંસ્થાઓમાં રહી સેવાઓ આપનાર શ્રી સાવજસિંહ જાડેજાને પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, વનરાજસિંહ જાડેજા, કરશન ભાનુશાલી,નિતિનભાઇ ઠક્કર, મુરજીભાઇ ઠક્કર, દીપેશ શાહે તેઓની સેવાઓને બિરદાવી અંજલિ આપી હતી.તેઓની વિદાયથી કચ્છને મોટી ખોટ પડી હોવાનું માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે જણાવ્યું હતું.