મકરસક્રાંતિ પર્વે બપોરે ઉધિયું વધી પડયા હોવાનાં માનવજ્યોત સંસ્થાને ૨૪ ફોન આવ્યા હતા. સંસ્થાએ વાહનો દ્વારા આ ઉધિયું એકઠું કર્યું હતું. અને ભુજની ચારે દિશામાં ઝુંપડા-ભુંગાઓમાં રહેતા ગરીબ લોકોને વિતરણ કરતાં અનેક ગરીબ પરિવારોએ ઉધિયાનો સ્વાદ માણ્યો હતો. અને મકરસક્રાંતિ પર્વ મનાવ્યો હતો.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રફીક બાવા, નરેશ તાજપરીયા, સલીમ લોટા, ઇરફાન લાખાએ સંભાળી હતી.