અકરમાતથી ગંભીર ઇજાઓ પામનાર યુવાનનું ઘર શોધી ઘર સુધી પહોંચતો કરાયો

બિહારનાં પટણા વિસ્તારના ૧૯ વર્ષિય યુવાન સોનુને કોઈક ઠેકેદાર સારી નોકરી અપાવવાના બહાને બિહારથી ટ્રેન મારફતે લઈ આવતા હતા. વડોદરા પાસે આ યુવાન ટ્રેનમાંથી પડી જતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થયેલી જોઈ ઠેકેદારે તેનો સાથ છોડી દીધો હતો. માથામાં ગંભીર ઈજાઓ અને લોહીથી આ યુવાન ખૂબ જ સંકટમાં આવી ગયેલ. તેને લોહી લુહાણ હાલતમાં જોઈ કોઈક સેવાભાવીએ તેની સારવાર કરાવી માથામાં ટાંકા પણ લેવડાવી આપ્યા હતા. સારવાર લઈ વડોદરા રેલ્વે સ્ટેશને જઈ બેઠો. ત્યાંથી પસાર થઇ રહેલ સહ્યાજી એકસપ્રેસમાં ચડી બેઠો હતો. આજ હાલતમાં અચાનક તે ભુજ રેલ્વે સ્ટેશને પહોંચ્યો હતો. વિના ટીકીટે પ્રવાસ કરતા તે પકડાયો હતો. ભુજ રેલ્વે સ્ટેશનનાં મજુરો રમેશ તથા દિપુએ માનવજ્યોત સંસ્થાને જાણ કરતાં સંસ્થાનાં ઇરફાન લાખાએ રેલ્વે સ્ટેશનેથી એબ્યુલન્સ મારફતે તેને રામદેવ સેવાશ્રમપાલારા મધ્યે પહોંચાડયો હતો. જ્યાં સેવાભાવીઓએ તેને સ્નાન કરાવી, લોહી વાળા કપડા બદલી, ભોજન કરાવી તેની પાસેથી પરિવારજનોની માહિતી મેળવી હતી. જેના આધારે તેનાં વાપી રહેતા પરિવારજનોનો સંપર્ક કરી, યુવાનને અકસ્માતે થયેલી ઇજાઓની જાણ કરતાં જ બિહાર રહેતા પરિવારજનોનાં વાપી ગુજરાતથી ૪ સભ્યો ભુજ આવી માનવજ્યોત સંસ્થાનો સંપર્ક કરી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ સ્થળેથી યુવાન સોનુનો કબ્જો લસંસ્થાનો આભાર માન્યો હતો. યુવાન પરિવારજનો સાથે તે ઘર તરફ જવા રવાના થયો હતો. 

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, દિપેશ શાહ સહભાગી બન્યા હતા.