સૂરજપરનાં આગેવાને જન્મદિનની કરી અનોખી ઉજવણી

સૂરજપર-કચ્છનાં શ્રી નવીનભાઈ દેવજી મેપાણીએ પોતાનાં જન્મદિવસે, માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડયું હતું. આશ્રમસ્થળે કેક કાપી જન્મદિન કેક માનસિક દિવ્યાંગોને ખવડાવી હતી. માનસિક દિવ્યાંગો વચ્ચે રહી જન્મદિન ઉજવી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડયું હતું. 

આ પ્રસંગે વાલાબાઈ હરજી વેકરીયા તથા હજી પ્રેમજી વેકરીયા સૂરજપરવાલાએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છને રૂપિયા ૩૯ હજારનાં ખર્ચે ૩૬૦ લીટરનું ફ્રિઝ અર્પણ કર્યું હતું. 

નવિનભાઈ મેપાણી, નંદુલાબેન મેપાણી, તુષારભાઈ મેપાણી તથા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, રફીક બાવાએ દાતાશ્રીઓને શુભેચ્છા પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો.