માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મસ્કત-ઓમાન સ્થત ભારાસરનાં દાતાશ્રી જાદવજીભાઇ ગોવિંદ વરસાણી, દેવશીંભાઇ પરબત હીરાણીનાં સહયોગથી ભુજનાં મુન્દ્રા રોડ વિમાન સર્કલ, પટેલ હોસ્પીટલ સામે અને જયુબિલી ગ્રાઉન્ડ સુધીનાં ૧૫૦ ભૂંગા-ઝુંપડાઓમાં જઇ રાશનકીટનું વિતરણ કરવામાં આવેલ. સાત દિવસ ચાલે તેવી રાશનકીટમાં ૧૦ વસ્તુઓ આપવામાં આવતાં ગરીબ પરિવારોએ ખુશી વ્યક્ત કરી હતી. વિતરણ વ્યવસ્થા માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, રાજુ જાગી, નરેશ તાજપરિયાએ સંભાળી હતી.