કચ્છ-મોરબી વિસ્તારનાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાએ પોતાનાં જન્મદિવસની અનોખી ઉજવણી કરી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ૫૧ માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથેનું ભોજન જમાડી જન્મદિન મનાવ્યો હતો. ભોજન જમી માનસિક દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે મનીષભાઇ બારોટ, કમલભાઇ ગઢવી, નીખીલભાઇ ઠક્કર, પ્રબોધ મુનવર તથા વિનોદ મારાજ ઉપસ્થિત રહ્યા હતા.