ભારતમાં દરરોજ કરોડો લોકો ભૂખ્યા પેટે સુઇ જાય છે ત્યારે ભુજમાં થતી પ્રવૃત્તિથી અનેક ગરીબોનાં પેટનો ખાડો પૂરાય છે વધી પડેલી રસોઇમાંથી એક વર્ષમાં અઢી લાખ લોકો જમે છે

ભારતમાં દરરોજ કરોડો લોકો ભૂખ્યા પેટે સૂઇ જાય છે. ત્યારે માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ – પાલારા દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી ભોજન સમારંભોની વધી પડેલી રસોઇ ગરીબોનાં ઝુંપડા સુધી પહોંચાડવામાં આવે છે. શહેરમાં  લગ્ન પ્રસંગો, ધાર્મિક પ્રસંગો, ભાગવત કથાઓ, સામાજિક પ્રસંગો, તહેવારોની ઉજવણી,  કે અન્ય શુભ પ્રસંગે યોજાતા ભોજન સમારંભો અને મહાપ્રસાદોમાં અનેક ઘણી રસોઇ વધી પડે છે. શહેરની વિવિધ સમાજવાડીઓ રસોઇ વધ્યાની જાણ માનવ-જ્યોત સંસ્થાને કરે છે. સંસ્થાનું વાહન વાસણો લઇ સમાજવાડીએ પહોંચી જાય છે. વધી પડેલી રસોઇ વાસણોમાં ભરી ગરીબોનાં ઝુંપડા સુધી પહોંચે છે. અને ગરીબોને આ રસોઇ જમાડવામાં આવે છે.

દરરોજ રોટલી-ચટણીનું ભોજન જમતા ગરીબોનાં ઘરે ગુલાબ જાંબુ-પૂરી-શીંખંડ-વડા, ખમણ, ભજીયા, જલેબી, પંજાબી શાક, દાળ-ભાત જેવું ભોજન પહોંચતા આ ભોજન જમી ગરીબો ખુશ-ખુશાલ બની જાય છે. માનવજ્યોતની ટીમ ગરીબોનાં ઝુંપડે જઇ તેઓને સૌને સાથે બેસાડી ભોજન જમાડે છે. ભુજનાં જુદા- જુદા ૨૧ વિસ્તારોમાં ઝુંપડાઓમાં રહેતા ગરીબો સુધી આવી વધી પડેલી રસોઇ પહોંચે છે. ભૂખ્યાઓનાં પેટનો ખાડો પૂરાય છે. તેમનો જઠરાગ્નિ ઠરે છે.

ભુજ અને ભુજ વિસ્તારની સમાજવાડીઓ વધી પડેલી રસોઇ અંગે માનવજ્યોત સંસ્થાને જાણ કરે છે.એક વર્ષમાં સંસ્થાએ વધી પડેલી રસોઇમાંથી અઢી લાખ લોકોને ભરપેટ જમાડ્યા છે.આવેલ રસોઇની રજીસ્ટરમાં નોંધ કરવામાં આવે છે.

સમાજવાડીઓમાં  લગ્ન કે સમારંભ પૂરો થતાં જ તુરત જ વાડી ખાલી કરવાની હોય છે. વાડી ખાલી કરી કબ્જા પરત સોંપવાનો હોય છે,  ભાડે લીધેલા વાસણો સમયસર પહોંચાડવાનાં હોય છે, ત્યારે આયોજકો વધી પડેલી રસોઇ તુરત જ માનવજ્યોતને સોંપી દે છે. આજે  મોંઘવારીમાં અન્નનો ખોટો બગાડ અટકવો જાઇએ. ગરીબોને એક કપ ‘ચા’ નાં પણ વાંધા છે. દિવસમાં માંડ એકાદ વખત જમવાનું મળે છે. આવા કપરા સંજાગોમાં ગરીબ વર્ગ પીષાઇ રહ્યો છે. ત્યારે માનવજ્યોતનું આ સેવા કાર્ય દીપી ઉઠયું છે. અને ગરીબો માટે આર્શિવાદરૂપ સાબિત થયું છે.

આ પ્રવૃત્તિથી અનેક ઝુંપડપટ્ટી વિસ્તારોના રહેવાસીઓમાં સુધારો જાવા મળ્યો છે. ગરીબ અને જરૂરતમંદો પરિવારો સુધી આ પ્રવૃત્તિ પહોંચતા લોકોમાં આશાઓનો સંચાર થયો છે. અમુક વિસ્તારોમાં દારૂ પ્રવૃત્તિ બંધ થઇ છે. પત્નીઓને  રંઝાળવાનું બંધ થયું છે. ખોટી પ્રવૃત્તિઓ બંધ થઇ છે. અને આવા લોકોના બાળકો શિક્ષણ તરફ વળ્યા છે.

વધી પડેલી રસોઇનું આ કાર્ય માત્ર લગ્નોની સિઝનમાં જ નહીં, બારે મહિનાં ચાલે છે. આ સેવાકાર્યને કર્મૂતા પણ નડતા નથી. દરરોજ ભોજન સમારંભોની રસોઇ વધ્યાની જાણકારી માનવજ્યોત સસ્થાને મળતી રહે છે. અને આ રસોઇ ગરીબોનાં પેટ સુધી પહોંચાડવામાં આવે છે. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રફીક બાવા, દિપેશ શાહ, આનંદ રાયસોની, નિરવ મોતા, ચમનલાલ જીવાણી, દિપેશ ભાટિયા, પ્રતાપ ઠક્કર, હિતેશ ગોસ્વામી, રાજુ જાગી તથા સર્વે કાર્યકરો વિતરણ વ્યવસ્થા સંભાળે છે. વર્ષે આ વધી પડેલી રસોઇમાંથી અઢી લાખ ગરીબ લોકોનાં પેટનો ખાડો પૂરાય છે. વધી પડેલી રસોઇ અંગે માનવજ્યોત કાર્યાલય ભુજ, મો. ૯૯૧૩૦ ૨૯૮૦૦, ફોન ઃ (૦૨૮૩૨) ૨૨૪૦૦૦ નો સંપર્ક કરવા જણાવાયું છે.