૨૦ મી માર્ચ વિશ્વ ચકલી દિવસ અનેક જંતુઓનું ભક્ષણ કરી, માનવીનું રક્ષણ કરે છે ચકલી

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી “ચકલી બચાવો’’ અભિયાન ચાલી રહ્યું છે. માટીનાં ચકલીઘરો જાહેર સ્થળો અને અનેક મંદિરોનાં પ્રાંગણોમાં લટકતા જાવા મળી રહ્યા છે. માટીનાં ચકલીઘર ચકલીઓ માટે સુરક્ષિત ઘર બની ચૂકયા છે. કચ્છનાં દરેક ગામો અને શહેરો સુધી માનવજ્યોતનું જીવદયાનું આ કાર્ય પહોંચી ગયું છે. માટીનું ચકલીઘર ચકલીઓને ઠંડક પૂરી પાડે છે […]

માનવજ્યોત દ્વારા ૨૦મી માર્ચ વિશ્વ ચકલી દિવસ ઉજવણી કાર્યક્રમ મુલત્વી

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દર વર્ષે ૨૦મી માર્ચનાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી બાળકોની વિશાળ ઉપસ્થિતિમાં કરવામાં આવતી હોય છે. પણ ચાલુ વર્ષે કોરોના વાયરસને ધ્યાને લઇ આ ઉજવણી મોકુબ રાખવામાં આવી છે. તેવું માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીએ જણાવ્યું હતું.

૭ હજાર લોકોએ ઉકાળો પીધો વાયરસ સામે રક્ષણ મેળવ્યું

કચ્છ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-ભુજ, કચ્છ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કોરોના તથા અન્ય વાયરસ સામે રોગ પ્રતિકાર શક્તિ મેળવવા અનેક ઔષિધઓમાંથી બનાવેલો તૈયાર ઉકાળો ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં લોકોને પીવડાવવામાં આવી રહ્યો છે. પાલારા ખાસ જેલનાં કેદીઓ તથા સ્ટાફ ૬૦૦, કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની ૬૦ બાળાઓ, શ્રી રામદેવ સેવાશ્રમનાં […]

બે દિવસમાં ૧૭૨૧ લોકોએ ઉકાળાનો લાભ લઇ રોગ પ્રતિકાર શક્તિ મેળવી

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને નિયામકશ્રી આયુષ ગુજરાત દ્વારા પ્રેરિત, કચ્છ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને કચ્છ જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડો. કમલેશભાઇ જાષીનાં માર્ગદર્શન હેઠળ કોરોના તથા અન્ય વાયરસ સામે રોગ પ્રતિકાર શÂક્ત માટે અનેક ઔષધિઓમાંથી બનાવેલા તૈયાર ઉકાળા વિતરણનો બે દિવસમાં ૧૭૨૧ લોકોએ લાભ લીધો હતો. વ્યવસ્થા માનવજ્યોત સંસ્થા ભુજ […]

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સ્ત્રીઓનાં કાનૂની હકો વિશે વક્તવ્ય યોજાયું

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા “શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલય’’ ભુજ મધ્યે સ્ત્રીઓના કાનૂની હકો વિશે વક્તવ્ય યોજાયું હતું. જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનં સચિવ અને સિનિયર જજ તથા એડિશનલ ચીફ જયુડિશીયલ મેજિસ્ટ્રેટ શ્રી બી.એન. પટેલસાહેબ, એડવોકેટ શ્રી મલહારભાઇ બુચ, એડવોકેટ શ્રી અમિતભાઇ ઠક્કર, કન્યા વિદ્યાલયનાં ટ્રસ્ટી શ્રી મધુભાઇ સંઘવી, શાળાનાં પૂર્વ આચાર્યા […]

વિશ્વ મહિલા દિવસે શ્રમજીવી મહિલાઓને સાડીઓ વિતરણ કરાઇ મહિલાઓના અધિકાર વિશે માહિતી અપાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિશ્વ મહિલા દિવસની અનેરી ઉજવણી કરવામાં આવી હતી. શહેરનાં શ્રમ એરીયા દાદુપીર રોડ મધ્યે શ્રમજીવી મહિલાઓને સાડીઓ વિતરણ કરવાનો કાર્યક્રમ સંસ્થાનાં અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. પ્રારંભે શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ મહિલા દિવસ ઉજવણીનું મહત્વ સમજાવ્યું હતું. કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવરે મહિલાઓને […]

યુવાન અનોજ ૬ વર્ષે ઘરે પહોંચતા પરિવારમાં કરૂણ દ્રશ્યો સર્જાયાં

ઉત્તરપ્રદેશનાં લખનૌ જિલ્લાનાં ઇટાવા ગામનો યુવાન અનુજ ચંદ્રપ્રકાશ સકસેના ૬ વર્ષે ઘરે પહોંચતાં પરિવારજનોની લાંબા સમયની આતુરતાનો અંત આવતાં ખુશી સાથે હૃદય દ્વાવક દ્રશ્યો સર્જાયા હતા. માનવજ્યોતને ખાવડા પોલીસે ડીસેમ્બર માસમાં સોંપેલ યુવન અનુજ ઉ.વ. ૨૧ સ્વસ્થ બની ઘર સુધી પહોંચ્યો છે. માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ડો. મહેશભાઇ ટીલવાણીની સારવારથી તે […]

માતાએ બકરી વહેંચી, પુત્રને તેડવા ભુજ પહોંચી માતા-પુત્રના અનોખા પ્રેમનાં થયા દર્શન

મધ્યપ્રદેશનાં ખંડવા જિલ્લાનાં મુંડી ગામનો યુવાન મનોજ કવાજી વર્મા ઉ.વ. ૩૦ બે વર્ષ પછી પોતાનાં ઘર સુધી પહોંચ્યો છે. ગરીબ પરિવારનાં પોતાનાં પુત્રને તેડવા આવેલી માતાએ જણાવ્યું હતું , પરિવારજનો બકરી ચરાવવાનો ધંધો કરીએ છીએ.પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોતા બકરી વહેંચી અમારા સંતાનને તેડવા આવ્યા છીએ. ધોરણ-૪ પાસ આ ગુમ યુવાનને શોધવા માતાએ સતત બે […]

નલીયાથી મળેલો પશ્ચિમ બંગાળનો યુવાન ૨૦ વર્ષે ઘરે પહોંચ્યો પરિવારજનો સાથે થયું ફેર મિલન

પશ્ચિમ બંગાળનાં બરનપુર (વર્ધમાન) જીલ્લાનો રહેવાસી ક્રિષ્નાંઘર શિવશંકર યાદવ ઉર્ફે મોહન ઉ.વ. ૩૬અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પણ તે નમળતાં પરિવારજનો નિરાશ થયા હતા. પરિવારજનો વર્ષો સુધી ચિંતા સેવતા રહ્યા હતા. અને બેચેન બન્યા હતા. અનેક રાજ્યોમાં વર્ષો વિતાવનાર અને અનેક કષ્ટો સહન કરનાર તથા મુશ્કેલીઓ વેઠનાર ક્રિષ્નાંઘર ડીસેમ્બર-૨૦૧૯ માં રેલ્વે […]

લગ્ન પ્રસંગની અનોખી ઉજવણી ૨૧ વિધવા મહિલાઓને સિવણ મશીન અર્પણ કરી પગભર કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દાતાશ્રી સ્વ. માતુશ્રી શાંતાબેન ગોવિંદજી રાયકુંડલ પરિવારનાં સહયોગથી ચિ. પાર્થ અને ચિ. રૂચાનાં લગ્ન પ્રસંગે ૨૧ વિધવા મહિલાઓને સિવણ મશીન અર્પણ કરી પગભર કરી લગ્ન પ્રસંગની અનોખી ઉજવણી કરાઇ હતી. માનવજ્યોત કાર્યાલય ભુજ મધ્યે યોજાયેલ કાર્યક્રમમાં દાતા પરિવારનાં મહેશભાઇ રાયકુંડલ, મયુરભાઇ રાયકુંડલ, પાર્થ, રૂચા સહિતનાં પરિવારજનો […]