Author Archives: PRABODH MUNVAR

દુર્ગાષ્ટમી નિમિત્તે માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનીયા જમાડાયા

મા દુર્ગાની નવલી નવરાત્રીની દુર્ગાષ્ટમી નિમિત્તે મુક્તિબેન રમેશભાઇ ખેતાણી, પ્રેમભાઇ રમેશભાઇ ખેતાણી અને પૂર્વ નગરપતિ અશોકભાઇ હાથી પરિવારો દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને ભાવતાં ભોજનીયા જમાડવામાં આવેલ. દુર્ગાષ્ટમીનાં પોતાને ભાવતું ભોજન જમી માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોએ ખુશી વ્યક્ત કરી દાતાશ્રી પરિવારોને અંતરના આશિર્વાદ પાઠવ્યા હતા. શ્રી પ્રબોધ મુનવરે દાતાશ્રી પરિવારોનો […]

ઓમકારેશ્ર્વર મહિલા મંડળનાં સથવારે માનસિક દિવ્યાંગો ગરબે ઘૂમ્યા

ઓમકારેશ્વર મહિલા મંડળનાં સથવારે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા- કચ્છનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો ગરબે ઘૂમ્યા હતા. ઓમકારેશ્ર્વર મહિલા મંડળના પ્રમુખ કમલબેન જોશી, પ્રવિણાબેન, ભાવનાબેન, ભક્તિબેન, જીનાલીબેન તથા વિશાળ સંખ્યામાં બહેનો રાસ,ગરબામાં જોડાયા હતા. વ્યવસ્થા પંકજ કુરુવા, દિલીપ લોડાયા, દામજીભાઇ મૈશેરી, વાલજી કોલીએ સંભાળી હતી.

શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગો ગરબે ઘુમ્યા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માં જગદંબાની નવલી નવરાત્રીની શાનદાર ઉજવણી કરવામાં આવી. દરરોજ સાંજે 5-30 થી 7 ભુજ શહેરના વિવિધ મહિલા મંડળો સેવાશ્રમ મધ્યે પહોંચી જઇ માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને ગરબા રમાડ્યા. ઢોલ-શરણાઇનાં તાલે માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો પણ માતાજીનાં રાસ-ગરબા હોંશે હોંશે રમે છે. એક સરખા ડ્રેસમાં સજ્જ થઇ માનસિક દિવ્યાંગો […]

પ્રાંત અને મામલતદાર ભુજ કચેરીએ દિવ્યાંગો માટે બે વ્હીલચેરો મૂકાઇ

પ્રાંત અને મામલતદાર (ભુજ શહેર) કચેરીએ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિવ્યાંગ ભાઇ-બહેનો માટે બે વ્હીલચેર મૂકવામાં આવી છે. કચેરીએ આવતા-જતા દિવ્યાંગ ભાઇ-બહેનો પોતાનાં કામો માટે કચેરીની અંદરની વિવિધ ઓફિસો કે કાઉન્ટરો સુધી પહોંચી જઇ પોતાનું કામ સરળતાથી પૂર્ણ કરી શકે તેવા ઉદેશ સાથે દિવ્યાંગ ભાઇ-બહેનો માટે બે વ્હીલચેરો મૂકવામાં આવી છે. વ્હીલચેરો પ્રાંત અને મામલતદાર […]

સ્વ. વાસુદેવભાઇ ઠક્કરને ૧૬મી પુણ્યતિથિએ અંજલિ અપાઇ

શ્રેષ્ઠીવર્ય, અને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં ભૂમિદાતા શેઠ શ્રી વાસુદેવભાઈ રામદાસ ઠક્કરની સોળમી પુણ્યતિથિએ માનવજયોત સંસ્થા ભુજ દ્વારા તેઓશ્રીનાં સેવાકાર્યોને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રમેશભાઈ માહેશ્વરી, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, અરવિંદભાઈ ઠક્કર, શંભુભાઈ જોષી, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટીએ ભાવાંજલિ અર્પણ કરી હતી. શ્રી […]

રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધની ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિ સાથે ઉજવણી થઇ રહી છે

શ્રાદ્ધની ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિ સાથે ઉજવણી થઇ રહી છે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધની અનેરી ઉજવણી થઇ રહી છે. દરરોજ જુદા-જુદા મંડળો, વિવિધ પરિવારો શ્રાદ્ધની ઉજવણી આશ્રમ મધ્યે કરતા હોય છે. મહાવીર નગર મહિલા મંડળ, ચંદ્રમોલેશ્ર્વર મહાદેવ સત્સંગ મહિલા મંડળ, જય નગર, મહાવીર નગર, વર્ધમાનનગરના બહેનો, તેમજ હાલાઇ નગર મહિલા […]

નાસિકની ગુમ મહિલા 13 વર્ષે મળી માતાનું પરિવાર સાથે થયું મિલન

મહારાષ્ટ્રનાં નાસિક વિસ્તારનાં જાઇદર ગામની યુવાન મહિલા ઉ.વ. 33 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. દેશનાં વિવિધ રાજ્યોનાં શહેરો, ગામડાઓમાં તે રખડતી-ભટકતી રહી હતી. આખરે તે ગુજરાતનાં બાયડનાં જય અંબે મંદબુદ્ધિ સેવાશ્રમ મધ્યે પહોંચી હતી. ત્યાનાં સંચાલક શ્રી અશોકભાઇ જૈન તથા ટ્રસ્ટીગણ અને સ્ટાફ સર્વે એ તેની સારી સરભરા સાથે સારવાર કરી હતી. […]

મહારાષ્ટ્રનાં પતિ-પત્નીનું 8 વર્ષે થયું મિલન 3 બાળકોને ફરી પિતા મળ્યા

મહારાષ્ટ્રના યવતમલ જીલ્લાનાં નાયકનગરનો યુવાન નીલેશ રાઠોડ ઉંમર વર્ષ 32 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે દેશનાં અનેક રાજ્યોનાં શહેરો, ગામડાઓમાં રખડતો- ભટકતો રહ્યો હતો. પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી. આખરે તે રખડતો-ભટકતો ગુજરાતનાં અરવલ્લી જીલ્લાનાં બાયડનાં જય અંબે મંદબુદ્ધિ સમાજ સેવા ટ્રસ્ટ મધ્યે પહોંચ્યો હતો. ત્યાનાં સંચાલકો અશોકભાઇ જૈન તથા […]

વરસતા વરસાદે ભુજમાં ફુડ પેકેટસ વિતરણ કર્યા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ અને ભુજ વિસ્તારમાં ભૂંગા-ઝુંપડામાં રહેતા 4000 થી વધુ લોકોને ફુડસ પેકેટો અર્પણ કરાયા હતા. ભુજમાં ઝુંપડપટી-ભુંગાઓમાં રહેતા અને વરસાદી પાણીમાં ભીંજાયેલા લોકોને ખારાભાત-દાળ ઢોકરીનું વિતરણ કરવામાં આવેલ.આ કાર્યમાં બી.કે.ટી તથા અક્ષયપાત્રનો સહકાર મળ્યો હતો. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રફીક બાવા, દીપેશ શાહ, આનંદ રાયસોની, હિતેશ ગોસ્વામીએ સંભાળી હતી. ભુજની ચારે […]

શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધની સંપૂર્ણ શાસ્ત્રોક્તવિધિ કરાવાશે

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને, મસ્તરામોને ભાવતા ભોજન પીરસવામાં આવશે. આવા કર્માધીન મસ્તરામોને જમાડવાથી પુન્યનું ભાથું બંધાતું હોઈ લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા લોકોને જમાડવાનાં કાર્યને શ્રેષ્ઠ ગણે છે. દરરોજ એકલા-અટુલા-નિરાધાર ૧૦૭ વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવશે. રંક બાળકો તથા શ્રમજીવીકોને ભોજન […]