મધ્યપ્રદેશનાં મેહગાંવ ભીડનો ૨૮ વર્ષિય યુવાન ઇન્દરખટીક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. આખરે ૪ મહિનાં પહેલાં તે રખડતો ભટકતો મહુવાનાં પોપટભાઇ ફાઉન્ડેશન આશ્રમ મધ્યે પહોંચ્યો હતો. જ્યાં સંસ્થાનાં સંચાલકોએ તેની ખૂબ જ સારી સરભરા કરી હતી.
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા મહુવા આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે તેને સાથે ભુજ લઇ આવ્યા અને મધ્યપ્રદેશ પોલીસની મદદ લઇ તેનું ઘર શોધી કાઢ્યું.
સમાચાર પ્રાપ્ત થતાં જ તેના પિતા અને ભાઇએ વીડીયોકોલથી ખાત્રી મેળવી ભુજ આવી પહોંચ્યા હતા. ૭વર્ષ પછી પિતા-પુત્ર અને ભાઇ-ભાઇનું મિલન થતાં ભાવુક દશ્યો સર્જાયાં હતા. ઉપસ્થિત દરેકની આંખો અશ્રુભીની બની હતી. પરિવારજનોનાં જણાવ્યા મુજબ સતત પાંચ વર્ષ સુધી તેની શોધ ચલાવી હતી. પણ હવે તે જીવીત હશે કે મૃત્યુ પામ્યો હશે તેની ચિંતા સતાવતી હતી. પણ આખરે માનવજ્યોત સંસ્થાનો ભુજથી ફોન આવતાં જ પરિવારજનો નાચી-ઝુમી ઉઠી ખૂબ જ ખુશી મનાવી હતી. સાત-સાત વર્ષ પછી પિતા-પુત્ર મળ્યા. મધ્યપ્રદેશથી પરિવારનાં પાંચ સભ્યો ભુજ આવી પહોંચ્યા હતા. આખરે પરિવારની ગુમ વ્યક્તિ સાત વર્ષ પછી મળી આવતાં પરિવારની ખુશી બેવડાઇ હતી
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, ગોવિંદભાઇ પાટીદાર, આનંદ રાયસોની સહભાગી બન્યા હતા. આ અવસરે બલુમલ ગોબિંદરામ તથા શ્રી મહાકાળી મહિલા મંડળ વર્ધમાનનગરનાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા. અને ઘરે જઇ રહેલા ઇન્દરને શુભેચ્છાઓ પાઠવી હતી.