વનખાતું, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ તથા માનવજયોતનાં સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે કરવામાં આવી હતી.
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સચિવ અને ચિહ્ન જયુડીસીયલ મેજીસ્ટ્રેટ શ્રી આર.બી.સોલંકી સાહેબ, વનખાતાનાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી વિજયસિંહ ઝાલા તથા માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરનાં વરદ્હસ્તે લીંબડાનાં ૫૦ વૃક્ષોનું વાવેતરકરવામાં આવેલ. પ્રારંભે માનવજ્યોતનાં ઉપપ્રમુખ શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ મહેમાનોને મીઠો આવકાર આપતાં પર્યાવરણ દિવસનું મહત્વ સમજાવ્યું હતું.
રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી વિજયસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, પ્લાસ્ટીક અને કચરાથી પર્યાવરણને બહુ મોટું નુકશાન થઇ રહ્યું છે. આ સ્થળે ચોકકસ વૃક્ષોનું જતન થશે એટલે જ અહીં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ છે. વૃક્ષો વાવેતર પછી તેની સાર-સંભાળ અને જતન જરૂરી છે. આ વૃક્ષો મોટા થશે તો બીજાને પણ પ્રેરણા મળશે. પર્યાવરણનું કાર્ય જોઇ બીજા લોકોમાં સંસ્કાર આવે અને વૃક્ષોનું જતન થાય એ જરૂરી છે. જયાં ત્યાં ફે કવામાં આવ તો પ્લાસ્ટીક કચરો પર્યાવરણને મોટું નુકશાન કરે છે. આપણે પર્યાવરણને બચાવશું તો જ આ પૃથ્વી બચી શકશે આપણે બધાય સાથે મળી જાગૃત થઇ પર્યાવરણને બચાવીએ.
કાર્યક્રમનાં મુખ્ય અતિથિ અને જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સચિવ શ્રી આર.બી. સોલંકીએ જણાવ્યું હતું કે, માનવી કુદરતી રીતે જીવતો હતો. હવા-પાણી-ખોરાક-કુદરત આપતી હતી. પણ માનવીની જરૂરીયાતો વધી જતાં ઉત્પાદન વધ્યું. વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ વધતો ગયો. મોટા-મોટા કારખાનાઓ અને ઉદ્યોગો અસ્તિત્વમાં આવ્યા પરિણામે ધુમાડા અને ગંદુ પાણી નુકશાનકારક બન્યું. પર્યાવરણને જાળવવા વધુને વધુ વૃક્ષારોપણ કરવું અત્યંત જરૂરી ગણાવ્યું હતું.
શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે લીમડાનાં ૫૦વોનું આ અવસરે વાવેતર કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરે જયારે આભાર દર્શન શંભુભાઇ જોષીએ કરેલ.
સમગ્ર વ્યવસ્થા વનપાલ સંજયભાઇ કરમૂર, વનરક્ષક શ્રી મહિપાલસિં વાઢેર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસૌની કનૈયાલાલ અબોટી, રફીક બાવા, મુરજીભાઇ ઠક્કર, ભુપેન્દ્ર બાબરીયા, રિતુબેન વર્મા, પંકજ કુરૂવા, જયેશ લાલન, વાલજી કોલી, દિલીપ લોડાયા તયા ફોરેસ્ટ સ્ટાફ સર્વેએ સંભાળી હતી.