ગજાનંદ ફુડ પ્રા. લી. સંતેજ કલોલ ગાંધીનગર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને મળેલ “કકર્યુવેદા હળદર,, પેકેટો શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં વિતરણ કરાયા હતા.
સ્વાથ્યની નવી પરિભાષા અને અત્યારે કોરોના સંકટમાં ખૂબજ ઉપયોગી હળદર પાવડર રોગપ્રતિકાર કરવા માટે એક અસરકાર સંયોજન છે. રસોઇમાં સ્વાદ અને સુગંધ વધારવાની સાથે સાથે એમાં રહેલું કકર્યુમિન શરદી-ખાંસી, ડાયાબિટીસ, અપચો, એલર્જી, ત્વચા વિકાર, કેન્સર જેવી બીમારીઓના ઇલાજ માટે ઔષધિના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
ગજાનંદ કકર્યુવેદા હળદર પાચનશક્તિ વધારનાર, ભૂખ ઉઘાડનાર અને શારીરિક પાચન અગ્નિ વધારનાર ટોનિક છે. તેનાથી લોહીનું શુદ્ધિકરણ થાય છે. કાું. દ્વારા ગુજરાતમાં ૮૫૦ સ્થળે હળદર પેકેટો નિઃશુલ્ક વિતરણ કરાયા હતા.
કાું. સેલ્સમેન દિપકભાઈ પોપટ, હરિઓમ એજન્સી ભુજનાં નરેશભાઈ ભાટિયા તથા હરીશભાઈ ટી. મૈશેરીનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજને મળેલ આ હળદર પેકેટો જુદા-જુદા વિસ્તારોમાં વિતરણ કરાયા હતા. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, શંભુભાઈ જોષી, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, દિપેશ શાહે સંભાળી હતી.