શ્રી કચ્છી લાલ રામેશ્વર અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોતને અન્નદાન અર્પણ કરાયું

શ્રી કચ્છી લાલ રામેશ્વર આશ્રામ અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને અન્નદાન અપાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે, એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધ વડીલોની ટીફીન સેવા માટે, બાળશ્રમયોગીઓ તથા રંક બાળકોનાં ભોજન માટે તથા કોરોનાં સંકટમાં ભૂખ્યાને ભોજન આપવા માટે બે હજાર કિલો ઘઉં, એક હજાર કિલો ચોખા, બસો દશ કિલો મગફાડા તથા અઢીસો કીલો ખાંડ અર્પણ કરાઈ હતી. 

હરિદ્વાર આશ્રમનાં પૂ. હરિદાસજી મારાજ, ભાવેશ મારાજ, મેનેજીંગ ટ્રસ્ટી તથા કારભારી પઠાઇભાઈ ભાનુશાલી તેમજ પાલારા રામેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટનાં વસંતભાઈ અજાણી તથા જીવદયા પ્રેમી અરિવંદભાઈ ગોરનાં સહકારથી માનવજ્યોત સંસ્થાને અન્નદાન અપાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વર્ષોથી માનવસેવા અને જીવદયાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. 

સંસ્થાની કચ્છભરમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓની નોંધ લઈ શ્રી કચ્છી લાલ રામેશ્વર આશ્રમ અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોતને અન્નદાન અર્પણ કરાયું હતું. માનવજ્યોત વતી પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા શંભુભાઈ જોષી, કરશનભાઈ ભાનુશાલીએ આભાર માન્યો હતો.