શ્રાદ્ધ નિમિત્તે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું

માનવજયોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છ મધ્યે શ્રાદ્ધ નિમિત્તે પુણ્યાત્માઓનાં આત્મશ્રેયાર્થ માનસિક દિવ્યાંગોને વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી ભોજન કરાવાયું હતું . વીસ શ્રાદ્ધના વીસે દિવસ માનવજ્યોત સંસ્થા દ્વારા માનસિક દિવ્યાંગોને ભોજન , એકલા – અટુલા – નિરાધાર વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા ભોજન , રંક બાળકોને ભોજન , ભૂખ્યાને ભોજન , ગાયોને ઘાસચારો , પક્ષીઓને ચણ , શ્વાનોને રોટલા , માછલીઓને લોટની ગોળીઓ તથા કીડીઓનાં કીડીયારાપૂરવાનાં માનવસેવા અને જીવદયાનાં કાર્યો સાથે શ્રાદ્ધ નિમિત્તે સેવાકાર્યો કરવામાં આવી રહેલ છે . પ્રથમ અને બીજા શ્રાદ્ધનો લાભ વિવિધ પરિવારોએ લીધો હતો .