અટલનગર-ચપરેટી ગામનું સેવાયજ્ઞ

અટલનગર-ચપરેડી ગામવાસીઓ દરરોજ ૩૦૦ જણાની તૈયાર રસોઇ બનાવી માનવજ્યોત સંસ્થા ભુજને આપે છે. લોકડાઉનમાં આ રસોઇ જરૂરતમંદ લોકો સુધી પહોંચે છે. જેથી અનેક ભૂખ્યા લોકોનાં પેટનો ખાડો પૂરાય છે. અટલનગર-ચપરેડી સર્વે ગામવાસીઓ તથા અટલનગર યુવા સર્કલ તથા સર્વે ભાઇ-બહેનો સેવાયજ્ઞમાં જાડાયા છે. આ તૈયાર રસોઇ માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદરાયસોની, રફીક બાવા, દિપેશ ભાટિયા, નીરવ મોતા જરૂરતમંદ લોકોનાં ઘર સુધી પહોંચાડે છે.