કચ્છ જીલ્લા પંચાયત ભુજ આયુર્વેદ શાખા દ્વારા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી કમલેશભાઇ જાષીનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની વ્યવસ્થા દ્વારા કોરોનાં તથા અન્ય વાયરસ સામે શરીરમાં રોગ પ્રતિકારક શક્ત વધારવા છેલ્લા ૧૦ દિવસમાં ભુજ શહેરનાં જુદા-જુદા ૩૫ વિસ્તારોમાં જઇ ૨૦ હજાર લોકોને હરતા ફરતા વાહન દ્વારા અનેક ઔષધિઓમાંથી બનાવેલો તૈયાર ઉકાળો પીવડાવવામાં આવેલ.
વ્યવસ્થા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવર, માનવજ્યોતનાં પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જાષી, દિપેશ શાહ, આનંદ રાયસોની, મુરજીભાઇ ઠક્કર, કનૈયાલાલ અબોટી, ઇરફાન લાખા, જયસુખભાઇ ગણાત્રાએ સંભાળી હતી.