માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી “ચકલી બચાવો’’ અભિયાન ચાલી રહ્યું છે. માટીનાં ચકલીઘરો જાહેર સ્થળો અને અનેક મંદિરોનાં પ્રાંગણોમાં લટકતા જાવા મળી રહ્યા છે. માટીનાં ચકલીઘર ચકલીઓ માટે સુરક્ષિત ઘર બની ચૂકયા છે. કચ્છનાં દરેક ગામો અને શહેરો સુધી માનવજ્યોતનું જીવદયાનું આ કાર્ય પહોંચી ગયું છે. માટીનું ચકલીઘર ચકલીઓને ઠંડક પૂરી પાડે છે તો બીજી તરફ વરસાદી પાણીથી પણ એને કોઇ નુકશાન થતું નથી. નવી ડિઝાઇનમાં બનાવેલા ચકલીઘરમાંથી કાગડા કે અન્ય કોઇ પક્ષી ચકલીનાં ઇંડા કે બચ્ચાં ઉઠાવી શકાત નથી. બાળકો માટે ચકલીઘર અતિ પ્રિય બની ચૂકયું છે. વર્ષોથી કુંડા-ચકલીઘર વિતરણ કરી રહેલ માનવજ્યોત સંસ્થાને આ કાર્યમાં સફળતા મળી છે. ચકલીઘર લઇ જઇ, એને સુરક્ષિત જગ્યાએ લટકાવ્યા પછી ચકલીઘરોમાં ચકલીઓએ માળા બાંધી ઇંડા મૂકી બચ્ચાઓને ઉછેરતી અનેક તસ્વીરો લોકો માનવજ્યોતને વોટસઅપ થી મોકલતા હોય છે. અનેક જ ગ્યાએ ચકલીઓ જૂથમાં દેખાતી થઇ છે. આ ચકલીઓ જયાં હોય છે એ વિસ્તારોમાં અનેક જંતુઓને ખાઇ જાય છે. અને અનેક મોટી બિમારીઓ, તાવ ફેલાવતા જંતુઓનો ભક્ષણ કરી માનવીને રક્ષણ આપે છે.
પાલારા જેલ, પાલારા ગૌશાળા, ખેતાબાપા આશ્રમ – વિથોણ, દાદલ માતાજી મંદિર -રતાડીયા, પિંગલેશ્વર તથા અનેક મંદિરોમાં માનવજ્યોતે લગાડેલ ચકલીઘરોમાં ચકલીઓ વર્ષોથી રહે છે.
ચકલીઓનાં જૂથ વચ્ચે મૂકાયેલા ચકલીઘરોમાં માળો બાંધવા તથા ખાલી ચકલીઘર માં પ્રથમ સુરક્ષિત રહેવા ચકલીઓ વચ્ચે મીઠો ઝઘડો પણ અનેક વખત જાવા મળે છે. માટીનાં લટકતા ચકલીઘરો હવે ચકલીઓ માટે કાયમી ઘર બની ગયા છે. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીનાં જણાવ્યા મુજબ માનવજ્યોત દર વર્ષે ૧૫ હજાર માટીનાં કુંડા તથા ૧૦ હજાર ચકલીઘરોનું વિતરણ કરી ચકલીઓને બચાવી લેવા તથા વધારેમાં વધારે ચકલીઓ કચ્છ પાછી ફરે એવા પ્રયત્નો ચાલુ રાખ્યા છે.
ચાલુ વર્ષે કોરોનાં વાયરસનાં ભય વચ્ચે માનવજ્યોતસંસ્થાએ વિશાળ સંખ્યામાં બાળકોની ઉપÂસ્થતિ વચ્ચે ૨૦મી માર્ચ વિશ્વ ચકલી દિવસની ઉજવણી રદ કરી છે. પણ વૃક્ષો ઉપર ચકલીઘરો લટકાવી ચકલીઓને કચ્છ આવવા આમંત્રિત કરેલ છે.