દેશનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરી પર્યાવરણને બચાવવા સંકલ્પ કર્યો છે. ત્યારે આપણે સૌ આ દિશામાં જાગૃત બનીએ.
સમગ્ર કચ્છમાં પ્લાસ્ટીક થેલી-ઝબલાનું દુષણ દૂર કરવા અનેક સંસ્થાઓ સક્રિય બની કાર્ય કરી રહી છે. પણ જ્યાં સુધી ઉત્પાદન બંધ નથાય ત્યાં સુધી દુષણ દૂર થવું કઠીન છે. પ્લાસ્ટીકનાં થેલીઓ અને ઝબલાનું જ્યાંં જથ્થાબંધ ઉત્પાદન થાય છે તેવી ફેકટરીઓ માં ૪૦ માઇક્રોન નીચેના થેલી-ઝબલા બનાવવા ઉપર પ્રતિબંધ લાદવો જાઇએ.
ભુજ તથા જુદા-જુદા ગામડાઓ તથા શહેરોમાં પ્લાસ્ટીકનાં ઝીણાં ઝબલા-થેલીઓ વિરૂદ્ધ ઝુંબેશ ચલાવી રહેલ માનવજ્યોત સંસ્થાનાં પ્રમુખ શ્રી પ્રબોધ મુનવર તથા મંત્રી સુરેશભાઇ માહેશ્વરીએ જણાવ્યું હતું કે, માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દર વર્ષે બાર હજારથી વધુ કાપડની થેલીઓ પ્રિન્ટ કરાવીને વિતરણ કરવામાં આવે છે. તેમજ જુદા-જુદા વિસ્તારોમાં સભાઓ યોજી લોકોને સમજ પૂરી પાડવામાં આવે છે.
ઘી-તેલ વાળી મીઠાઇ ફરસાણ તથા અન્ય સુગંધીત વસ્તુઓ આવી પ્લાસ્ટીક થેલી-ઝબલાઓમાં ઘર સુધી લઇ આવ્યા બાદ, ડાબરમાં ઠલવી થેલી ઝબલાઓ જયાં ત્યાં ફેંકી દેવામાં આવે છે. ફેંકી દેવામાં આવતી પ્લાસ્ટીકની થેલી-ઝબલાઓ ગાયમાતા ચાટે છે. અને ત્યાર બાદ થેલી-ઝબલા પણ ખાઇ જાય છે. ગાય માતાનાં પેટમાં આ પ્લાસ્ટીક જવાથી ગાય બિમાર પડે છે. અને મૃત્યુને ભેટે છે. અનેક વખત સુપાર્શ્વ જૈન સેવા મંડળનાં સેવાભાવી ભાઇઓ ગાય માતાનાં પેટનું ઓપેરશન કરી ૨૦ થી ૫૦ કિલો પ્લાસ્ટીક પેટ અંદરથી કાઢીને ગાય માતાને બચાવે છે. જેનાં શરીરમાં ૩૩ કરોડ દેવ-દેવતાઓનો વાસ છે. એવી ગાયમાતાને મારવાનું કામ આપણાં હાથે ન થાય, અને આપણે મહાપાપ માંથી બચીએ, એ માટે
પ્લાસ્ટીક થેલી-ઝબલાઓનો ઉપયોગ સદંતર બંધ કરવું જાઇએ. પ્લાસ્ટીક ઝબલા-થેલી જયાં ત્યાં ન ફેંકવા જાઇએ. કચરાઓનાં ઢગલાઓમાં અને કચરાપેટીઓમાં મુખ્ય કચરો પ્લાસ્ટીકનો જાવા મળે છે. આ પ્લાસ્ટીક જમીનમાં જ્યાંં પણ દટાઇ જાય છે. ત્યાં અનાજ કે વૃક્ષ ઉગતા નથી. પર્યાવરણને આવું ઝીણું પ્લાસ્ટીક અતિ ભારે નુકશાન કરે છે. પ્લાસ્ટીકનાં ગ્લાસ-ડીસો તથા અન્ય પ્લાસ્ટીક કચરો પર્યાવરણને અતિ ભારે નુકશાન કરી રહેલ છે.
ગાય માતાને બચાવીએ… ગાય માતાને બચાવો સૂત્રોથી ગાયમાતા બચશે નહીં. પણ જરૂરી ઝુંબેશ ચલાવી ઝીણી પ્લાસ્ટીકનાં થેલી ઝબલાઓ નેશનાબૂદ થશે તોજ આપણે ગાય માતાને બચાવી શકશું. પર્યાવરણને બચાવવા તેનું રક્ષણ અને જતન કરવાની આપણાં સૌની ફરજ છે ત્યારે પ્લાસ્ટીક થેલી-ઝબલાનાં દૂષણમાંથી આપણે સૌ મુક્ત થઇને અગાઉનાં જમાનાં ની જેમ કાપડની થેલીઓનો વધુને વધુ ઉપયોગ કરીએ. માત્ર ગાય માતાનું દૂધ પીને નહીં, પણ તેનાં દુઃખનાં આંસુ લુછી તેને બચાવીએ તોજ ગાયમાતાની સાચી સેવા કરી ગણાશે.
અગાઉનાં જમાનામાં લોકો ઘરેથી નીકળતા ત્યારે કાપડની થેલી હાથમાં લઇને નીકળતા તેને અનુસરવું જરૂરી બન્યુ છે, લોકો સમજે, વિચારે અને કાપડની થેલીઓનો ઉપયોગ કરે એ સમયની માંગ છે. સોની ખેતશી ખેંગાર ચેરીટેબલ ટ્રસ્ટ ભુજનો પણ કાપડની થેલીઓ માટે સહયોગ પ્રાપ્ત થાય છે.
માનવજ્યોત સંસ્થા છેલ્લા ૧૫ વર્ષથી આ દિશામાં કામ કરી છે. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, અરવિંદભાઇ ઠક્કર, સુરેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જાશી, પૃથ્વીરાજસિંહ જાડેજા, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ,જેરામ સુથાર, મુરજીભાઇ ઠક્કર, નિતિન ઠક્કર તથા સર્વે કાર્યકરોની ટીમ અનેકવિધ કાર્યક્રમો દ્વારા લોકોને પર્યાવરણનું જતન કરવા સમજ પૂરી પાડી રહ્યા છે. સભાઓમાં અનેક લોકો પ્લાસ્ટીક થેલી-ઝબલાઓનો ઉપયોગ સદંતર બંધ કરવાનાં સંકલ્પ લે છે. ત્યારે આપણે સૌ સમગ્ર ભુજ શહેર અને કચ્છને પ્લાસ્ટીક થેલી ઝબલા મુક્ત બનાવીએ, તોજ ગૌમાતા બચી જશે અને પર્યાવરણનું જતન કરી શકશું. પાણીનો કરકસરથી ઉપયોગ કરી, પાણી બચાવવા પણ લોકોને સમજપૂરી પાડવામાં આવે છે.
રસ્તા કે માર્ગમાં જયાં ત્યાં વપરાયેલા પ્લાસ્ટીક થેલી-ઝબલાનો કચરો નજરે પડે કે તુરત જ કચરાપેટીમાં નાખો. પાન કે માવા માટે વપરાતી ઝીણી પ્લાસ્ટીક પાન-માવો ખાધા પછી જયાં ત્યાં ફેંકશો નહીં. કચરા પેટીમાં નાખો. ગૌમાતાને બચાવવા આટલું જરૂરી છે.