શ્રાદ્ધ નિમિત્તે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવાનાં કાર્યને શ્રેષ્ઠ કાર્ય માનતા પરિવારો, પોતાનાં સ્વજનનોની પુણ્ય સ્મૃતિમાં શ્રાદ્ધ નિમિત્તે આવા માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત પાલારા-કચ્છ મધ્યેનાં શ્રી રામદેવ સેવાશ્રમ મધ્યે પહોંચી જઇ માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડી શ્રાદ્ધની ઉજવણી કરી પુણ્યનું ભાથું બાધ્યું હતું. તેવું શ્રી સુરેશ માહેશ્વરીએ જણાવ્યું હતું.