Category Archives: Activities

મહાશિવરાત્રી પર્વ ૫ હજાર લોકોની રસોઇ વધી પડી. ભૂખ્યાને ભોજન પહોંચાડાયું

મહાશિવરાત્રી પર્વે ભુજ તથા ભુજ વિસ્તારનાં અનેક ગામડાઓમાં મહાદેવજીનાં મંદિરે મહાપ્રસાદ કાર્યક્રમો યોજાયા હતા. વધી પડેલી રસોઇ ભુજની માનવજ્યોત સંસ્થાએ એકઠી કરી ગરીબોનાં ઝુંપડે પહોંચાડતાં પાંચ હજારથી વધુ ગરીબો ભરપેટ જમ્યા હતા અને મહાશિવરાત્રી પર્વ મનાવ્યો હતો. રતનાલ, ત્રાયા, માનકુવા, યુ.કે. લાયન્સનગર, હીરાણી નગર, હાટકેશ કોમ્પલેક્ષ, ગૌસ્વામી સમાજવાડી તથા ભુજનાં વિવિધ મંદિરોથી મહાપ્રસાદ ગરીબોનાં ઝુંપડે […]

માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું

સામાજિક મહિલા અગ્રણી શ્રીમતિ નર્મદાબેન ગામોટ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનીયા જમાડવામાં આવેલ. નર્મદાબેને સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ આભાર માન્યો હતો.

અ.નિ. શ્રી ઝવેરીભાઇનાં આત્મશ્રેયાર્થે બાળશ્રમયોગીઓને અલ્પાહાર કરાવાયો

અ.નિ. ઝવેરીભાઇ મુળજીભાઇ રાયકુંડલ (ઠક્કર) નાં આત્મશ્રેયાર્થે ઠા. નર્મદાબેન મુળજી જીવણદાસ રાયકુંલ પરિવાર હસ્તે ભાવેશભાઇ ઠક્કર, કેતનભાઇ ઠક્કર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત બાળશ્રમયોગી શાળાનાં બાળશ્રમયોગીઓને નોટબુક,બોલપેન તેમજ પાણીપૂરીનું અલ્પાહાર આપવામાં આવેલ. આ પ્રસંગે નગરસેવીકા રસીલાબેન પંડયા, શર્મિલાબેન પટેલ, માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા શાળા શિક્ષીકા બિંદીયાબેન પંડયા ઉપસ્થિત રહ્યા હતા. સ્વ. ઝવેરીભાઇને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ. […]

ભુકંપમાં મૃત્યુ પામનારાઓનાં આત્મશ્રેયાર્થે માનવજ્યોત દ્વારા શાંતિપાઠ યોજાયો

૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ ભુકંપમાં મૃત્યુ પામનારાઓનાં આત્મશ્રેયાર્થે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે શાંતિપાઠનું આયોજન કરવામાં આવેલ. સદ્દગતોની આત્માની શાંતિ માટે સૂરજપરનાં શ્રી દીપકભાઇ મારાજે શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે ગીતાગ્રંથનાં ૧૫મા અધ્યાયનું શ્રવણ કરાવેલ. ઉપસ્થિત સંસ્થાના સર્વે કાર્યકર-ભાઇ-બહેનોએ બેમિનિટ મૌન પાળી સદ્દગતોને અંજલિ અર્પણ કરેલ. શ્રી પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, […]

ભુજોડી સરપંચે જન્મદિન માનસિક દિવ્યાંગો વચ્ચે ઉજવ્યો

ભુજોડી સરપંચ લક્ષ્મીબેન ગાભુભાઇ વણકરે પોતાનાં જન્મદિને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે પહોંચી જઇ માનસિક દિવ્યાંગોને મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન સ્વહસ્તે જમાડી જન્મદિન ઉજવી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સંસ્થાનાં પ્રબોધ મુનવરે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

કચ્છમાં વધી રહેલા કોરોના કેસો સામે લોકોને જાગૃત બનવા અપીલ કરાઇ, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળનું વાહન શહેરમાં ફરી વળ્યું

કચ્છમાં વધતા જતા કોરોના કેસોની સામે જાગૃત બનાવાની અપીલ સાથે કચ્છ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ કચ્છ જીલ્લા પંચાયત ભુજ આયુર્વેદ શાખા દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી ભુજનાં શિવરામંડપ, ભીડગેટ, જયુબિલી ગ્રાઉન્ડ તથા અન્ય વિસ્તારોમાં અનેક ઔષધીથી ભરપૂર તૈયાર ગરમઉકાળો વિતરણ કરવામાં આવેલ. જેનો ૩ હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો. કોરોના […]

કોરોના સામે લોકોને જાગૃત કરાયા ગરમ ઉકાળો વિતરણ કરાયો

કચ્છ જીલ્લા પંચાયત, આયુર્વેદ શાખા દ્વારા કોરોના-ઓમિક્રોન સામે રોગ પ્રતિસાદ શક્તિ વધારવા માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી ભુજનાં જુદા-જુદા વિસ્તારોમાં અનેક ઔષધિથી ભરપૂર તૈયાર ઉકાળો પીવડાવવામાં આવી રહેલ છે. સંસ્કારનગર એસ.ટી.વર્કશોપ સામે ઇન્નરવ્હીલ કલબ ઓફ ફલેમિંગો ભુજનાં સહકારથી સંસ્કારનગર વિસ્તારમાં લોકોને ગરમ તૈયાર ઉકાળો પીવડાવવામાં આવેલ. આ પ્રસંગે ડો. અશોકભાઇ ત્રિવેદી તથા કલબનાં પ્રમુખ રચનાબેન સોની […]

ભુજનાં બે આગેવાનોને અંજલિ અપાઇ

ભુજ શહેરનાં બે આગેવાનો શ્રી પ્રભુદાસભાઇ ખેતશી સોની તથા ચંદ્રકાન્તભાઇ વિશનજી ગોરને માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ. સંસ્થાનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટીએ તેઓશ્રીની સેવાઓને બિરદાવી અંજલિ આપી હતી.

માનવજ્યોત દ્વારા મકરસંક્રાંતિપર્વની માનવસેવા,જીવદયા કાર્યો સાથે ઉજવણી કરાઇ ૩૦૦ કિલો વધી પડેલું ઉધિયું એકઠું કરી ગરીબોને પીરસાયું સંસ્થાને દાતાશ્રીઓએ આપ્યું અનુદાન

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મકરસંક્રાંતિ પર્વની માનવસેવા, જીવદયાનાં કાર્યો સાથે ઉજવણી કરવામાં આવેલ. વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન, ફરસાણ સાથે ભોજન કરાવવામાં આવેલ. ૧૧૪ વૃદ્ધોને ઘેરબેઠા ટીફીન દ્વારા ભોજન પહોંચાડવામાં આવેલ. શ્રમજીવીકો,બાળશ્રમયોગીઓ, રંક બાળકો તેમજ ભૂંગા-ઝુંપડામાં રહેતા જરૂરતમંદોને ભોજન જમાડવામાં આવેલ. ગાયમાતાઓને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, માછલીઓને લોટ આપી […]

કોરોનાની ત્રીજી લહેર સામે ભુજમાં ૨૫૦૦ લોકોને ઉકાળો પીવડાવાયો

કચ્છ જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા, જીલ્લા આયુર્વેદ અધિકારી શ્રી પવનકુમાર મકરાણીનાં માર્ગદર્શન હેઠળ કોરોનાની ત્રીજી લહેર સામે ભુજમાં માનવજ્યોત સંસ્થાનાં સહકારથી હરતા-ફરતા વાહન દ્વારા ભુજનાં જુદા-જુદા વિસ્તારોમાં ૨૫૦૦ લોકોને અનેક ઔષધિઓથી ભરપૂર તૈયાર ગરમ ઉકાળો પીવડાવામાં આવેલ. જયુબિલી ગ્રાઉન્ડ, ટાઉન હોલ, હમીરસર કાંઠો, નવું-જુનું એસ.ટી.બસ સ્ટેશન વિસ્તાર, કલેકટર ઓફિસ વિસ્તાર, જનરલ હોસ્પીટલ, આર.ટી.ઓ. વિસ્તાર, મંગલમ […]