માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ શહેર ભાનુશાલીનગર પાછળ આવેલ રઘુવંશીનગર મધ્યે શ્રી રઘુવંશીનગર મહિલા મંડળનાં સહકારથી વિશ્વ મહિલા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવેલ. આ પ્રસંગે કાર્યક્રમનું અધ્યક્ષપદ શ્રી ભરતભાઇ રાણાએ શોભાવ્યું હતું. પ્રારંભે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના પેરાલીગલ વોલીન્ટીર શ્રી પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ મહિલાઓ માટેના કાયદા અને સુરક્ષાની સમજ પૂરી પાડી […]
Author Archives: PRABODH MUNVAR
ભુજનાં એક વૃદ્ધ ઉંમર વર્ષ 80 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. ચોથા દિવસે પદ્ધર પોલીસ સ્ટેશને આ વૃદ્ધ વડીલ મળતાં મધ્ય રાત્રિએ તેમને માનવજ્યોત કાર્યાલયે પહોંચાડેલ. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ આ વૃદ્ધનુંઆશ્રય સ્થાન બન્યું. પાંચમાં દિવસે વૃદ્ધનાં પરિવારને શોધી કઢાયું. પરિવારજનોને વૃદ્ધ વડીલનો કબ્જો સોંપાતા પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી. અન્ય એક […]
કચ્છનાં ભુજ તાલુકાનાં ઝીંકડી ગામની દીકરી રાજવી મહેશભાઇ કેરાસિયા ઉ.વ. 18 નું તાજેતરમાં અવસાન થતાં ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી દીપેશ શાહે રાજવીબેનને શ્રદ્ધાંજલિ આપી હતી. ધોરણ-12 પાસ રાજવી, પરિવાર, ઝીંકડી ગામ, સમાજ, શાળા અને કચ્છનાં ગૌરવસમાન હતી. 19માં […]
કચ્છ –મોરબીનાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પહોંચી જઇ માનસિક દિવ્યાંગો વચ્ચે પોતાનાં જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. સમગ્ર આયોજન જીલ્લા અનુસુચિત જાતિ મોરચા દ્વારા કરવામાં આવેલ. પોતાનાં હસ્તે બર્થ ડે કેક કટીંગ કરી સૌ પ્રથમ કેક માનસિક દિવ્યાંગોને ખવડાવી જન્મદિવસ ઉજવ્યો હતો. માનવજ્યોત સંસ્થા દ્વારા પ્રબોધ […]
ઉત્તરખંડના લુડકી તાલુકાનાં કલીહર ગામનો મુસ્લિમ યુવાન શોકીન ઉ.વ. 30 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. અનેક મુશ્કેલીઓ વેઠતો પરિવાર ખૂબ જ ચિંતાતુર બન્યો હતો. ભારતભરનાં વિવિધ રાજ્યોમાંથી આખરે તે રખડતો-ભટકતો આણંદના માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ સેવાશ્રમ મધ્યે પહોંચ્યો હતો. ત્યાંના સંચાલકો એ તેની સારી સેવાઓ કરી. કચ્છ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના […]
દર વર્ષે 27 મી ફેબ્રુઆરીએ “વિશ્ર્વ એન.જી.ઓ. દિવસ’’ ઉજવવામાં આવે છે. પ્રથમ વિશ્ર્વ એન.જી.ઓ. દિવસ વર્ષ 2014 માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મનાવવામાં આવેલ. એન.જી.ઓ. સ્થાનિક-પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળે છે. આર્થિક, સામાજિક, શૈક્ષણિક જેવા તમામ ક્ષેત્રોમાં એન.જી.ઓ. મહત્વનો ભાગ ભજવે છે. એન.જી.ઓ. વિવિધ પ્રકારની સેવાઓ પ્રદાન કરતા હોય છે અને તેમનો સમાજનાં નિર્માણમાં મહત્વનો […]
ઉત્તરપ્રદેશનાં શ્રાવરતી જીલ્લાનાં ઇકોના ગામના નરપતપુર વિસ્તારમાં રહેતો યુવાન અકબરઅલી ઉ.વ. 26 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. વર્ષોનાં વર્ષો વીતી ગયા પછી પરિવારજનોએ માની લીધું હતું કે હવે તે આ દુનિયામાં નહીં હોય. ઘરેથી નીકળ્યા પછી તે અનેક રાજ્યોનાં શહેરો, ગામોમાં તે સતત રખડતો-ભટકતો અને અનેકવિધ મુશ્કેલીઓ વેઠતો રહ્યો હતો. ઉપર આભ-નીચે […]
માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસનમુક્તિ ક્ષેત્ર સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાને દાતાશ્રી અ.નિ. માતુશ્રી અમરબાઇ માવજીભાઇ ગોરસીયા પરિવાર ભુજ દ્વારા નવું છ સીટર ઇકો વાહન ભુજ સ્વામિનારાયણ મંદિર મધ્યે ભુજ સ્વામિનારાયણ મંદિરનાં કોઠારી દેવપ્રકાશ સ્વામિ, કોઠારી ગૌલોકવિહારી સ્વામી, સદગુરુ પાર્ષદવર્ય શ્રી જાદવજી ભગતની ઉપસ્થિતિ અને આશિર્વાદ સાથે અર્પણ કરાયું હતું. આ પ્રસંગે […]
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભારતીય જૈન સંગઠન બીજેએસ મહિલા વિંગ ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો વચ્ચે રહી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલ.માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોએ હાથમાં તિરંગો લઇ તિરંગો લહેરાવ્યો હતો. ગીતાબેન પારેખ, મનીષાબેન મહેતા, ડીમ્પલબેન ભનશાલી, નીશાબેન ખંડોલ, સોનુબેન કોઠારી, હીરાબેન શાહ, મયુરી દોશી, સોનુબેન મહેતા સહિતનાં […]
ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા દાતાશ્રી સ્વ. ગૌરીબેન મોહનલાલ મહેતા હસ્તે રમાબેન શિરિષભાઇ મહેતા- વર્ધમાનનગર-કચ્છ હાલે અમેરિકા પરિવારનાં સહયોગથી પાંચ ગંગાસ્વરૂપ મહિલાઓને સિવણ મશીનો અર્પણ કરાતાં ગંગાસ્વરૂપ મહિલાઓએ અનેરી ખુશી વ્યક્ત કરી હતી. અત્યાર સુધીમાં માનવજ્યોત સંસ્થાએ 671 ગંગાસ્વરૂપ મહિલાઓને સિલાઇ મશીનો અર્પણ કરી પગભર કરવાનાં પ્રયત્નો કર્યા છે. દાતાશ્રીની અંતરની ભાવનાઓને બિરદાવી દાતા પરિવારશ્રીનો આભાર […]










