Author Archives: PRABODH MUNVAR

મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા સાહેબની પુણ્યતિથિ ઉજવાઇ

નામદાર મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા સાહેબની ચોથી પુણ્યતિથિ નિમિત્તે કુંવર શ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજા દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને ભાવતાં ભોજનીયા જમાડવામાં આવેલ. તેમજ એકલા-અટુલા નિરાધાર 103 વૃદ્ધ વડીલોને ઘેર બેઠા ટીફીન દ્વારા મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ. વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજાએ સંભાળી હતી.

વિધવા મહિલાઓને પગભર થવા સિવણ મશીનનો અર્પણ કરાયા

ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા દાતાશ્રી ઇશ્ર્વરલાલભાઇ મગનલાલ ઠક્કર મનીષ ટી કંપની ભુજ પરિવારનાં સહયોગથી ૧૨ વિધવા મહિલાઓને સિવણ મશીનો અર્પણ કરાતાં વિધવા મહિલાઓએ અનેરી ખુશી વ્યક્ત કરી હતી. અત્યાર સુધીમાં માનવજ્યોત સંસ્થાએ ૬૩૦ વિધવા મહિલાઓને સિલાઇ મશીનો અર્પણ કરી પગભર કરવાનાં પ્રયત્નો કર્યા છે. દાતાશ્રીની અંતરની ભાવનાઓને બિરદાવી દાતા પરિવારશ્રીનો આભાર માનવામાં આવેલ. સુરેશભાઇ માહેશ્ર્વરી […]

૧૦૦ પરિવારોને ઠંડા પાણીનાં માટલા વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ વિસ્તારમાં ભૂંગા-ઝુંપડામાં રહેતા અને જેના ઘરમાં ફ્રિઝ કે વોટર કુલર નથી તેવા પરિવારોને ઠંડા પાણી માટેના માટીનાં માટલા વિતરણ કરાયા હતા. ભુજ શહેરનાં ભીડગેટ વિસ્તારેથી માટલા વિતરણ કાર્યનો પ્રારંભ કરાયો હતો. કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં ગરીબ પરિવારોને પણ ઠંડુ પાણી પીવા મળે તેવા હેતુ […]

માનવજ્યોતને અનુદાન અપાયું

સ્વ. જવેરબેન જેરામભાઇ જોષી દહીંસરા હસ્તે ડો. શાસ્ત્રી જિતેન વસંતભાઇ જોષી ભુજ દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થાને માનવસેવા અને જીવદયા કાર્ય માટે રુ. 51 હજારનો ચેક અર્પણ કરાયો હતો. અ.નિ. સામબાઇ કરશન ગોપાલ હાલાઇ સૂરજપર દ્વારા રુ. 25 હજારનો ચેક અર્પણ કરાયો હતો. જીવદયા અને માનવસેવા પ્રેમી અને ખેડૂત એવા સવરાજભાઇ લખમણ ગઢવી (સાખરા) વડીવાડી ભુજપુર […]

7 દિવ્યાંગો ભાઇ-બહેનોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર ફરતા કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા 7 દિવ્યાંગ ભાઇ-બહેનોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર ફરતા કરાતાં દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 514 દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરાઈ છે. સ્વ. ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર વર્ધમાનનગર-કચ્છ હસ્તે રમાબેન શીરીષ મહેતા-અમેરીકા દ્વારા-ત્રણ, વેલબાઇ ધનજીભાઇ કરશન વરસાણી-નારાણપર દ્વારા ત્રણ તથા એક સદગૃહસ્થ દ્વારા- […]

નિવૃત્ત ડ્રેસર હરભમજી જાડેજાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

ભુજ તાલુકાના કેરા ગામે પ્રાથમિક આરોગ્ય  કેન્દ્રમાં વર્ષો સુધી ડ્રેસર તરીકે સેવા આપી નિવૃત્ત થયેલા હરભમજી ખુમાનસંગજી જાડેજાનું અવસાન થતાં ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા તેઓની સેવાઓને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. તેઓશ્રી માનવજ્યોતનાં સહદેવસિંહ જાડેજાના પિતાશ્રી હતા. સંસ્થાના પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, ગોવિંદભાઇ પાટીદાર, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, શંભુભાઇ જોષી, રફીક બાવા, નિતિન […]

વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ સંસ્થાએ સેવાકાર્યોનો કર્યો પ્રારંભ

હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ ખાવડાથી પોતાનાં વતન તરફ જઇ રહેલા 200 જેટલા મજુરો ભુજ આવી ને રખડી પડ્યા હતા. અમુક પાસે પૈસા નહોતા. તો ભુજ આવ્યા પછી લારી,ગલ્લા, દુકાનો, રેસ્ટોરેન્ટ બંધ હોતા આ મજુર વર્ગ અને તેમનાં પરિવાર તથા નાના બાળકો રખડી રઝળી પડ્યા હતા. રેલ્વે સ્ટેશન અંદર-બહાર કોઇ વસ્તુ મળે તેમ નહોઇ રીક્ષાચાલકો […]

પિતાએ પુત્રને પ્રથમ વખત 11 વર્ષે જોયો પિતા-પુત્ર અને પતિ-પત્નીનું 11 વર્ષે થયું મિલન

પશ્ર્ચિમ બંગાળનાં કાયથા જીલ્લાનો યુવાન મેંનુર ઇસ્માઇલ શેખ ઉ.વ. 37 ગુમ થતાં પરિવારજનો એ તેની સતત શોધ ચલાવી હતી. પરિવારજનો ચિંતાતુર બની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. આખરે તે 11 વર્ષ બાદ સૂરતનાં આશિર્વાદ માનવમંદિર માનવસેવા ચેરી. ટ્રસ્ટ મધ્યે પહોંચ્યો હતો. ત્યાનાં સંચાલક શ્રી જયરામભાઇ ભગત અને સેવાભાવીઓએ તેની ખૂબ જ સારી સરભરા સાથે સેવાઓ […]

શ્રી કચ્છી લાલ રામેશ્વર અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોત અને શ્રી રામરોટી કેન્દ્ર-ભુજને અન્નદાન અર્પણ કરાયું

શ્રી કચ્છી લાલ રામેશ્વર આશ્રમ અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને અન્નદાન અપાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે, એકલા-અટુલા- નિરાધાર વૃદ્ધ વડીલોની ટીફીન સેવા માટે, બાળશ્રમયોગીઓ તથા રંક બાળકોનાં ભોજન માટે તથા ભૂખ્યાને ભોજન આપવા માટે દોઢલાખ રૂપિયાનું અન્નદાન અપાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વર્ષોથી […]

પહેલગામના બૈસરનમાં આંતકવાદી હુમલામાં માર્યા ગયેલાઓને માનવજ્યોત દ્વારા અંજલિ અપાઇ

જમ્મુ-કાશ્મીરના પહેલગામના બૈસરનમાં આંતકવાદી હુમલામાં માર્યા ગયેલા 28 પર્યટકોને ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.પર્યટકો ઉપર થયેલા હુમલાને વખોડવામાં આવેલ. ભોગ બનેલા પર્યટકોનાં આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે અંજલિ અપાઇ હતી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્ર્વરી, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, નિતિન ઠક્કર, દીપેશ શાહ, મનસુખભાઇ નાગડા, કનૈયાલાલ અબોટી, શંભુભાઇ […]