Monthly Archives: March 2021

ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો અબોલા પશુ-પક્ષીઓની મદદે આવ્યા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ પશુ-પક્ષીઓ માટે પાણી પીવાની વ્યવસ્થાઓ ઠેર-ઠેર ગોઠવવામાં આવી છે. માટીનાં કુંડા અને ચકલીઘર લગાડવાનો પ્રારંભ માતાનામઢ, નારાયણસરોવર, કોટેશ્વરથી કરવામાં આવેલ.  કચ્છનાં અનેકવિધ મંદિરો, શાળા-કોલેજો,હાઈસ્કુલો, પ્રાથમિક શાળા, કન્યાશાળા, સરકારી કચેરીઓમાં સંસ્થા દ્વારા કુંડાઓ લટકાવી તરસ્યા પક્ષીઓ માટે પાણી પીવાની વ્યવસ્થા કરવામાં આવી […]

અનેક મુશ્કેલીઓ વેઠતી વેઠતી ૩૫ વર્ષિય મહિલા આખરે પોતાનાં ઘર સુધી પહોંચી, પરિવારજનો સાથે ૩ વર્ષ થયું મિલન મેળો માણવા ગઇ અને ગુમથઇ

ઉત્તરપ્રદેશનાં મુરાદાબાદ જીલ્લાનાં હિંમાથુપુર ગામની ૩૫ વર્ષિય મહિલા અનુષ્કા તેનાં સગા સબંધીઓ સાથે કાશગંજમાં મેળો જોવા ગઈ હતી. અને અચાનક ત્યાંથી ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તેના ભાઈએ ભોજપુર પોલીસ સ્ટેશને તા. ૧૨-૨-૨૦૧૮ ના ફરિયાદ નોંધાવી હતી. પટીયાલી સ્ટેશનેથી તે ભૂલથી ટ્રેનમાં બેસી ગઈ, અને કોઈક અજાણ્યા સ્થળે પહોંચી ગઈ.  સતત ૩ […]

સમુહલગ્ન પ્રસંગે માનસિક દિવ્યાંગો તથા વૃધ્ધોને ભોજન કરાવાયું

પ.પૂ. ગુડથરવાળા મતિયા દેવ તથા અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણોદયસાગર સૂરીશ્વરજી મ.સા.ને સમર્પિત પ્રથમ નિઃશુલ્ક “કન્યા વણજ યજ્ઞ” નિમિત્તે નલીયા મધ્યે યોજાયેલ સમૂહલગ્ન પ્રસંગે દાતા શ્રી દામજીભાઇ કાંયાભાઈ ડોરૂ (મોટા કાંડાગરા) હાલે ગાંધીધામ પરિવાર તથા નલીયા-અબડાસા મહેશ્વરી સમાજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ આશ્રમનાં માનસિક દિવ્યાંગોને તથા ભુજનાં એકલા-અટુલા-નિરાધાર-૧૦૦ વૃદ્ધોને મિષ્ટાન – ફરસાણ સાથેનું […]

માનવજ્યોત દ્વારા “વિશ્વ ચકલી દિવસ” ઉજવાયો

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી ભુજ કાર્યાલય સ્થળે કરવામાં આવી હતી. છેલ્લા ૩ દિવસથી લોકજાગૃતિરૂપે કુંડા-ચકલીઘરોની સતત ડીમાન્ડ રહી હતી. લોકો સામેથી ચાલીને કુંડા ચકલીઘર લેવા પહોંચ્યા હતા.  સંસ્થાનાં અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરનાં જણાવ્યા મુજબ ચકલીઓનું અસ્તિત્વ જોખમાતું જાય છે. વર્તમાન યુગમાં આધુનિક ખાતરો, જંતુનાશક દવાઓ, વધતું જતું […]

પર્યાવરણ સાથે રૂપકડી ચકલીઓને પણ બચાવીએ (૨૦મી માર્ચ વિશ્વ ચકલી દિવસ) – પ્રબોધ મુનવર

આજે ચકલીઓનું અસ્તિત્વ જોખમાતું જાય છે. ચકલીઓની સંખ્યા દિવસો દિવસ ઘટતી જાય છે. લુપ્ત થઈ ગયેલા હોલા, કાગડા, પોપટ, કાબર, ગીધ, સમડી, કબુતર પછી હવે મોટાપ્રમાણમાં દેખાતી ચકલીઓ પણ અદ્રશ્ય થવા લાગી છે.  એક હતો ચકો એક હતી ચકી વાર્તા હવે ભૂંસાઈ રહી છે શહેરના બિલ્ડીંગોના ગાઢ વિસ્તારોમાં ચકા-ચકી પોતાનાં ઘરનું એડ્રેસ શોધતા-શોધતા એવા થાકી […]

માનવીએ પોતાની રહેવાની વ્યવસ્થા કરી લીધી પણ નાનકડા પક્ષી ચકલીની વ્યવસ્થા ન કરી લુપ્ત થતી ચકલીઓને બચાવી લઇએ. ચકલી કહે છે… અમારું પણ એક ઘર જોઇએ… ૨૦મી માર્ચ વિશ્વ ચકલી દિવસ

કચ્છમાં ચકલીઓનું અસ્તિત્વ જોખમાતું જાય છે. ચકલીઓની સંખ્યા દિવસો દિવસ ઘટતી જાય છે. કચ્છમાં લુપ્ત થઇ ગયેલા કાગડા પછી હવે કચ્છમાં મોટા પ્રમાણમાં દેખાતી ચકલીઓ પણ અદ્રશ્ય થવા લાગી છે.  માનવીની બદલાતી જીવનશૈલી, શહેરીકરણ, દેશી નળિયાનાં બદલે છત, પ્રદુષણ, નવી રહેણી કરણી, ઉંચા bમોબાઈલ ટાવરો, જંતુનાશક દવાઓનાં વપરાશ વિગેરે કારણોથી કચ્છમાં મોટા પ્રમાણમાં દેખાતી ચકલીઓ […]

આંધ્રપ્રદેશનો યુવાન પાંચ વર્ષે ઘરે પહોંચ્યો પત્ની-બાળકો સાથે થયું ફેરમિલન

આંધ્રપ્રદેશનાં ગુન્ટુર જીલ્લાનાં મચેરલા ગામનો ૩૧ વર્ષિય યુવાન નગીનલાલ લક્ષ્માયા પાંચ વર્ષ પછી પોતાનાં ઘર સુધી સુખરૂપે પહોંચ્યો છે. સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવર તથા માનવજ્યોતનાં રફીક બાવાને છ મહિના પહેલાં લાખોંદ પાટિયા પાસેથી મળી આવતાં તેને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે લઈ આવી તેની સારવાર શરૂ કરવામાં આવી. મનોચિકિત્સક ડો. મહેશભાઈ ટીલવાણીની સારવારથી તે જલ્દી સ્વસ્થ […]

પ્રજ્ઞાચક્ષુને પણ ઘર શોધી અપાયું પરિવારજનો સાથે થયું ફેરમિલન

મુન્દ્રા શહેરમાંથી અંધ વૃદ્ધ મળી આવતા જનસેવા સંસ્થાનાં શ્રી રાજભાઇ સંઘવીએ તેમને માનવજ્યોત સંસ્થા ભુજ સુધી પહોંચાડયા હતા. સુરદાસ અરવિંદભાઈ જોષી પોતે જામનગરનાં હોવાનું તથા ભૂલથી કચ્છમાં આવી ગયા હોવાનું તેમજ હવે ઘર મળતું નથી તેવું માનવજ્યોત સંસ્થાનાં પ્રબોધ મુનવરને જણાવ્યું હતું.  માનવજ્યોતની ટીમે જામનગર જઈ તેમનું ઘર શોધવાનું શરૂ કર્યું હતું. અંધજને જે વિસ્તારોની […]

વેસ્ટ બંગાળનો યુવાન ૪ વર્ષે ઘરે પહોંચ્યો તેને આવકારવા આખું ગામ એકઠું થયું

પશ્ચિમ બંગાળનાં બકુરા જીલ્લાનાં બમીરા ગામનો ૨૬ વર્ષિય યુવાન રાજુદાસ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પણ તેનો અતો-પતો ન મળતાં પરિવારજનો ખૂબ જ નિરાશ થયા હતા.  ભુજ રેલ્વે સ્ટેશન બહારથી સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવર તથા માનવજ્યોતનાં રફીક બાવાને છ મહિનાં પહેલાં મળી આવતાં તેને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે રાખવામાં આવેલ. મનોચિકિત્સક ડો. […]

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-ભુજ દ્વારા વિશ્વ મહિલા દિવસ ઉજવાયો

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી એકમ-ભવન ભુજ મધ્યે વિવિધ મહિલા મંડળોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.  કાર્યક્રમનું અધ્યક્ષ પદ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સચિવ અને ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટશ્રી બી.એન.પટેલ સાહેબે જયારે અતિથિવિશેષપદ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં મીડીએટર તથા જાણીતા એડવોકેટશ્રી જી.બી.ગોર, હેલ્થ અવરનેસ ઉપર કાર્ય કરતા […]