આર.ટી.ઓ રિલોકેશન વિસ્તારમાં આવેલ સ્વ. ભાનુબેન મગનલાલ ઠક્કર (માણેક) ભુજનાં સ્મરણાર્થે સંચાલિત “જલારામ અમૃતજળ” પાણીનાં પરબનો માત્ર પાંચ મહિનાંની અંદર વીશ હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો. રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા પૂર્વ શિક્ષક શ્રી મગનલાલ ઠક્કર અહીં સેવાઓ આપી રહ્યા છે.
ગામડાઓ, શહેરોનાં લોકો તથા મજુર વર્ગ, ડ્રાઇવરો, અન્ય રાહદારીઓએ આ પરબનું ઠંડુ પાણી પી શાંતિ અનુભવી હતી. આ પરબ આ સમગ્ર વિસ્તાર માટે આશિર્વાદ રૂપ બન્યું છે.