શ્રી કચ્છી લાલ રામેશ્વર આશ્રમ અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને અન્નદાન અપાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે, એકલા-અટુલા- નિરાધાર વૃદ્ધ વડીલોની ટીફીન સેવા માટે, બાળશ્રમયોગીઓ તથા રંક બાળકોનાં ભોજન માટે તથા ભૂખ્યાને ભોજન આપવા માટે દોઢલાખ રૂપિયાનું અન્નદાન અપાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વર્ષોથી […]
Category Archives: News/Events
જમ્મુ-કાશ્મીરના પહેલગામના બૈસરનમાં આંતકવાદી હુમલામાં માર્યા ગયેલા 28 પર્યટકોને ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.પર્યટકો ઉપર થયેલા હુમલાને વખોડવામાં આવેલ. ભોગ બનેલા પર્યટકોનાં આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે અંજલિ અપાઇ હતી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્ર્વરી, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, નિતિન ઠક્કર, દીપેશ શાહ, મનસુખભાઇ નાગડા, કનૈયાલાલ અબોટી, શંભુભાઇ […]
કર્ણાટક રાજ્યનાં બેંગ્લોર વિસ્તારનો યુવાન પ્રશાંત ઉ.વ. 30 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પરિવારજનો ખૂબ જ ચિંતિત બન્યા હતા. આખરે તે રખડતો-ભટકતો સૂરતનાં આશિર્વાદ માનવમંદિર માનવસેવા આશ્રમે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલક શ્રી જયરામભાઇ ભગત અને સર્વે ટ્રસ્ટીગણ તથા કાર્યકરોએ તેની ખૂબ જ સારી સારવાર સાથે સરભરા કરી હતી. માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન […]
મહાશિવરાત્રીની ભવ્યાતિભવ્ય રથયાત્રામાં માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં 30 માનસિક દિવ્યાંગો પણ જોડાયા હતા. શણગારેલા ટેમ્પોમાં હાથમાં ધ્વજા લઇ એક સરખા ડ્રેસમાં સજ્જ માનસિક દિવ્યાંગોનાં રથે ભારે આકર્ષણ જમાવ્યું હતું. ઠેર-ઠેર લોકોએ માનસિક દિવ્યાંગો સામે હાથ ઉંચા કરી અભિવાદન કર્યું હતું. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી […]
જૈનોનાં વર્ધમાનનગર પાસેથી મળેલ માનસિક દિવ્યાંગને સમજાવીને સ્કુટર ઉપર બેસાડી માનવજ્યોત કાર્યાલયે લઇ આવવામાં આવેલ. રસ્તે રઝળતા અને ભૂખ્યા આ માનસિક દિવ્યાંગને સૌ પ્રથમ ચા,નાસ્તો કરાવવામાં આવેલ. ત્યાર પછી તેનાં બાલ-દાઢી કરાવવામાં આવેલ. તેના મેલા-ગંદા કપડા કાઢી તેને સ્નાન કરાવવામાં આવેલ અને ત્યારબાદ તેને નવા વસ્ત્રોમાં સજ્જ કરવામાં આવેલ. તે દોઢ વર્ષ પહેલાં રાજસ્થાનથી નીકળેલ. […]
રાજસ્થાનનાં પાલી વિસ્તારનો યુવાન અરવિંદ ઉ.વ. 40 ગુમ થતાં પરિવારજનોએ સતત ત્રણ વર્ષ સુધી તેની શોધખોળ ચલાવી હતી. તેનાં કોઇ ખબર નમળતાં પરિવારજનો મુશ્કેલી વેઠી રહ્યા હતા. આખરે તે રખડતો-ભટકતો સૂરતનાં જીવન જ્યોત આશ્રમે પહોંચ્યો હતો. ત્યાનાં સંચાલક અને ટ્રસ્ટનાં સેવાભાવીઓએ તેની ખૂબ જ સરભરા કરી સારી સારવારકરાવી હતી. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કચ્છમાં માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસનમુક્તિ અભિયાન જેવી પ્રવૃત્તિઓ છેલ્લા 20 વર્ષથી ચાલુ છે. સંસ્થાનાં વાહનો જુના થઇ ગયા હોઇ દાતાશ્રી પાસે રજુઆત કરતાં અક્ષરનિવાસી વાલજીભાઇ વિશ્રામ હીરાણીનાં આત્મશ્રેયાર્થે ધર્મપત્ની વેલબાઇ વાલજી હીરાણી સુખપર (મદનપુર) પરિવાર દ્વારા સંસ્થાને નવું ઇકો વાહન અર્પણ કરાયું હતું. વાહન અર્પણવિધિ કાર્યક્રમ શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ […]
માનવજ્યોત દ્વારા લગ્નપ્રસંગે, શુભ પ્રસંગે, ધાર્મિક પ્રસંગે કે પ્રસંગોપાત વધી પડેલી રસોઈ જુદી-જુદી સમાજવાડીઓ, પાર્ટી પ્લોટ સ્થળેથી એકઠી કરી ગરીબોનાં ઝુંપડાઓ સુધી પહોંચાડવામાં આવે છે. દરરોજ બપોરે લગ્નવાડીઓમાંથી રસોઈ વધી પડયાનાં ફોન આવતા રહે છે. સંસ્થાનું વાહન વાસણો લઇ સમાજવાડી, પાર્ટી પ્લોટ સુધી પહોંચી જાય છે. ગરમા ગરમ વધી પડેલી રસોઈ લઈ આવે છે. આ […]
ટાટા એ.આઇ.એ. લાઇફ ઇન્શ્યોરન્સ ભુજ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેનાં એક ભાગરુપે જરુરતમંદ લોકો સુધી કપડા પહોંચાડવા કપડા એકઠા કરી ભુજની સેવાભાવી માનવજ્યોત સંસ્થાને અર્પણ કરાયા હતા. એક પ્રેરણારુપ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ. ટાટા એ.આઇ.એ. લાઇફ ઇન્શ્યોરન્સ ભુજ બ્રાંચ મેનેજર કલ્પેશ પ્રજાપતિ, ટ્રેનીંગ મેનેજર અરુણકુમાર, આસિસ્ટન મેનેજર તબુબેન રાજપુત તથા ગૌરાંગ પટેલ […]
ભુજ-માધાપર સર્વોદય મહિલા મંડળનાં 40 બહેનોએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ભજન-કિર્તન-સત્સંગની રમઝટ જમાવી હતી. મંડળનાં બહેનો રાસ-ગરબા-દુહા-છંદ સાથે નાચી ઝુમી ઉઠયા હતા. મંડળના પ્રમુખ ઉષાબેન મચ્છર તથા સર્વે સભ્યોએ ભારે રમઝટ જમાવી હતી. કચ્છ જીલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતિ ગોદાવરીબેન ઠક્કર સહિતના બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. માનસિક દિવ્યાંગ […]