Category Archives: Activities

હંગામી આવાસ મધ્યે આયુર્વેદિક-હોમિયોપેથીક નિદાન કેમ્પનો ૧૨૫ દર્દીઓએ લાભ લીધો

કચ્છ જીલ્લા પંચાયત ભુજ આયુર્વેદિક શાખા દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી નવનિર્માણ સોસાયટી, સરદારનગર, હંગામી આવાસ ભુજ મધ્યે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આયુર્વેદ ડો. પિયુષભાઇ ત્રિવેદી તથા હોમિયોપેથીક ડો. પ્રતિક્ષાબેન પવારે પોતાની સેવાઓ આપી દર્દીઓનાં દર્દનું નિદાન કર્યું હતું. આ કેમ્પનો ૧૨૫ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પ સ્થળે દર્દીઓને દવાઓ નિઃશુલ્ક આપવામાં આવેલ. […]

૮ માનસિક દિવ્યાંગોએ કર્યું ઘર તરફ પ્રયાણ. માનવજ્યોતે ૧૧૭૮ માનસિક દિવ્યાંગોને ઘર સુધી પહોંચાડ્યા.

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સ્થળેથી સ્વસ્થ બનેલા ૭ અને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજનાં-૧ મળી ૮ માનસિક દિવ્યાંગોએ ઘર તરફ પ્રયાણ કર્યું હતું. તેઓને શુભેચ્છા પાઠવવા યોજાયેલ કાર્યક્રમનું અધ્યક્ષપદ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સચિવ અને સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચિફ જયુડિશીયલ […]

મકરસક્રાંતિ પર્વે વિવિધ સેવા કાર્યો હાથ ધરાશે

મકરસક્રાંતિ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર તથા શ્રી સુરેશભાઇ માહેશ્વરીનાં જણાવ્યા મુજબ શ્રી રામદેવ સેવાશ્રમના માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનીયા પીરસવામાં આવશે. એકલા અટુલા-નિરાધાર વૃદ્ધોને ટીફીન દ્વારા ભોજન પહોંચાડવામાં આવશે. ઝુંપડાઓમાં જઇ ગરીબોને ભોજન અપાશે. રંક બાળકોને તથા બાળશ્રમયોગીઓને ભોજન જમાડાશે. જરૂરતમંદોને કપડા તથા ધાબડા વિતરણ કરાશે. […]

માનવજ્યોત સંસ્થા ભુજને અન્નદાન અપાયું

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત માનસિક દિવ્યાંગોનાં આશ્રમ શ્રી રામદેવ સેવાશ્રમને દાતાશ્રી ઝેડ.એમ. મુન્સી દ્વારા અન્નદાન અપાયું હતું. ચોખા, તેલ, મગફાડા તથા મસાલા જેવી રોજિંદા વપરાશની વસ્તુઓ જથ્થામાં અપાઇ હતી. સંસ્થા દ્વારા પ્રબોધ મુનવર તથા રફીક બાવાએ આભાર માન્યો હતો.

વિદેશથી આવેલા કપડા જરૂરતમંદો સુધી પહોંચ્યા

વિદેશ વસતા કચ્છીઓ, ગુજરાતીઓ અને ભારતીયોએ સારા-સારા કપડા એકઠા કરી ભુજની માનવજ્યોત સંસ્થાને મોકલ્યા હતા. લંડન સ્થિત સી.જે. ટ્રાવેલ્સ લી. નાં જયંતિ પટેલે ત્યાંનાં રહેવાસીઓ પાસેથી કપડા એકઠા કરી ભુજ માનવજ્યોતને મોકલ્યા હતા. માનવજ્યોત સંસ્થાએ ભુજની ચારે દિશામાં ગરીબો-જરૂરતમંદોનાં ઝુંપડે-ઝુંપડે આ કપડા પહોંચાડ્યા હતા. જેથી જરૂરતમંદોએ ખુશી વ્યક્ત કરી હતી. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ […]

સ્વ. ભાનુભાઇ ઠક્કરની પુણ્યતિથિ ઉજવાઇ

સ્વ. ભાનુભાઇ મનજી ઠક્કરની પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનો દ્વારા, માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ. આશ્રમની પ્રથમ વખત મુલાકાતે આવેલ શ્રી ધીરેનભાઇ ઠક્કરે માનવજ્યોતની માનવસેવાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. પૂર્વનગર સેવક ધીરેનભાઇ ઠક્કર સાથે પૂર્વ નગરસેવક ફકીર મામદ કુંભાર, હીરેશ ઠક્કર, રાહુલ ગોસ્વામી સાથે રહ્યા હતા. આશ્રમની મુલાકાત […]

માનવજ્યોતે વધુને વધુ માસ્ક બનાવવાનું શરૂ કર્યું

કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દરજીભાઇઓની મદદ લઇ મોટી સંખ્યામાં માસ્ક બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ભુજનાં સેવાભાવી દરજી પ્રવિણભાઇ લક્ષ્મીદાસ મોઢ આ કાર્ય માટે સેવા આપી રહ્યા છે. અગાઉ પણ તેમણે માનવજ્યોત સંસ્થાને હજારોની સંખ્યામાં માસ્ક તૈયાર કરીને આપ્યા હતા. કાપડનાં ટકાઉ અને સારા માસ્ક માનવજયોત સંસ્થા જુદા-જુદા વિસ્તારોમાં […]

કોરોના-ઓમિક્રોન સામે સાવધાની અને જાગૃતિરૂપે માનવજ્યોત દ્વારા નિઃશુલ્ક માસ્ક વિતરણ કરાયા

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા અંગ્રેજી નવા વર્ષની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં હરતા-ફરતા વાહન અને માઇક સીસ્ટમ સાથે લોકોને કોરોના તથા ઓમિક્રોન સામે જાગૃત બની માસ્ક અવશ્ય પહેરવાની સમજ સાથે નિઃશુલ્ક માસ્ક વિતરણ કરાયા હતા. જ્યાં લોકોની ભારે […]

કાતિલ ઠંડી સામે… માનવજ્યોત દ્વારા ઝુંપડે-ઝુંપડે ધાબડા વિતરણ

કાતિલ ઠંડી સામે રક્ષણ મેળવવા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા હરતા ફરતા વાહનથી દાતાશ્રી ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર વર્ધમાનનગર હસ્તે રમાબેન શિરીષ મહેતા, સ્વ. ભાવેશ અનીલ મહેતા, નિર્મળાબેન વિપીન મહેતા વર્ધમાનનગર, ડો. મેઘજી વેલજી ધરમશી ગોરખડી હાલે મુલુન્ડ હસ્તે ડો. ઉર્વશીબેન, પ્રિયંવદાબેન, તક્ષશીલાબેન, વિધાતાબેનનાં સહયોગથી ભુજ વિસ્તારમાં ઝુંપડા […]

પાલાણી પરિવાર દ્વારા કોઠારા ગામે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે

પાલાણી પરિવાર કોઠારા-કચ્છ હાલે મુંબઇ દ્વારા અબડાસા તાલુકાનાં કોઠારા ગામે વ.ક.નાથા છત્રાલય મધ્યે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન ભવ્ય મેગા કેમ્પનું આયોજન તા. ૯-૧-૨૦૨૨ રવિવારે સવારે ૯ થી ૧ દરમ્યાન કરવામાં આવેલ છે. જેમાં ભુજ-માંડવીના ૧૬ ખ્યાતનામ અને નિષ્ણાંત ડોકટરશ્રીઓ પોતાની સેવાઓ આપી દર્દીઓનું દર્દનું નિદાન કરશે. સારવાર માટે લખાયેલ દવાઓ કેમ્પ સ્થળે ફ્રી આપવામાં આવશે. […]