ઉત્તરપ્રદેશનાં લલીતપુર વિસ્તારનાં મામોરી ગામનો ૩0 વર્ષિય યુવાન રાજારામ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી. ખૂબ જ શોધખોળ પછી પણ તેનો અતો-પતો નમળતાં પરિવારજનો નિરાશ થયા હતા. અનેક રાજ્યોનાં શહેરો-ગામડાઓમાંથી થઈ તે અચાનક સોમનાથનાં “નિરાધારનો આધાર,, સંસ્થામાં પહોંચ્યો હતો. ત્યાંના સંચાલકોએ તેની-સારી સારવાર કરી. માનવજ્યોત સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સોમનાથ આશ્રમની મુલાકાતે […]
Monthly Archives: December 2023
નાના નખત્રાણા ગામે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા પર્યાવરણની જાગૃતિરૂપે પર્યાવરણ બચાવો… પક્ષીઓ બચાવો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિશાળ સંખ્યામાં મહિલાઓ જોડાયા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે કુંડા-ચકલીઘરનું મહત્વ સમજાવતાં જીવદયાનાં આ કાર્યમાં સૌને જોડાવવા અપીલ કરી હતી. આ અવસરે કુંડા-ચકલીઘર-કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. પ્લાસ્ટીકનાં બદલે કાપડની થેલીઓનો ઉપયોગ કરવા સમજ પૂરી પાડવામાં આવેલ. વ્યવસ્થા […]
મહારાવશ્રી પ્રાગમલજી અને પ્રિતિદેવી ફાઉન્ડેશન મુંબઇ હસ્તે મહારાણી પ્રિતિદેવીજી સાહેબા દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થાને માનવસેવા અને જીવદયા કાર્યો માટે રૂા. ૪ લાખનું અનુદાન અપાયું છે. મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા સાહેબ પણ માનવજ્યોતની પ્રવૃત્તિઓથી ખુશ હતા. અને પોતાનાં જન્મદિને સંસ્થાને અનુદાન આપતા રહ્યા હતા. અને સંસ્થાની પ્રવૃત્તિઓની પ્રશંસા કરતા રહ્યા હતા. સંસ્થા દ્વારા પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ […]
રાજસ્થાનનાં અજમેર જીલ્લાનો યુવાન બલવીર પુંજ ભમરૂ ઉ.વ. ૨૧ ગુમ થતાં પરિવારજનો રડી-રડી દિવસો પસાર કરી રહ્યા હતા. તેને શોધવા પરિવારનાં દરેક સભ્યો જ્યાં સમાચાર પ્રાપ્ત થાય ત્યાં પહોંચી જઈ તેની શોધ ચલાવતા. બે વર્ષ આમજ વિત્યા. પરિવાર વેર-વિખેર થઈ ગયો. બે વર્ષ પછી તે રખડતો-ભટકતો સોમનાથનાં “નિરાધારનો આધાર” આશ્રમે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલકોએ તેની […]
વેસ્ટબંગાલનાં મેહજાપુર વિસ્તારનો યુવાન શેખ અમીરૂલઅલી ઉ.વ. ૨૭ ગુમ થતાં પરિવારજનોએ તેને શોધવા રાત-દિવસ એક કર્યા હતા. આખરે તે રખડતો-ભટકતો સોમનાથના “નિરાધારનો આધાર,, આશ્રમમાં પહોંચ્યો હતો. ત્યાંના સંચાલકોએ તેની ખૂબ જ સરભરા સાથે સેવાઓ કરી. માનવજ્યોત સંસ્થા ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સોમનાથ આશ્રમેથી તેને ભુજ શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવ્યા. વેસ્ટબંગાલ પોલીસ […]
ઝારખંડનાં ઝામા વિસ્તારનો પ્રેમકુમાર ઉર્ફે સંજુ હરદાર ઉ.વ. ૨૫ ત્રણ વર્ષ પહેલા ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી. રખડતો-ભટકતો ભારત ભ્રમણ કરી તે રેલ્વે મારફતે ભુજ પહોંચ્યો હતો. ભુજથી પગે ચાલી ખાવડા માર્ગે માનવજ્યોત સંસ્થાનાં વાલજીભાઈ કોલીને મળી આવતાં તેને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આશ્રય આપવામાં આવ્યો. તેની પાસે મળેલી માહિતીનાં આધારે […]
શ્રી શાંતિજિન જૈન જાગૃતિ ગ્રુપ મુંબઈ દ્વારા કચ્છી દશા ઓશવાળ જૈન સમાજનો ૩૧ મો સમુહલગ્નોત્સવ તા. ૧૬ શનીવારે અબડાસા તાલુકાનાં સાંધવ ગામે યોજાશે. સમુહલગ્નોત્સવનાં દાતાશ્રીનો લાભ માતુશ્રી જેઠીબાઇ કેશવજી ધરમશીં સુથરી-લોકાપુર હસ્તે અ.સૌ. કલ્પનાબેન તેજકુમાર ધરમશી પરિવારે લીધેલ છે. બપોરે ૧-૩૦ કલાકે યોજાનાર સત્કાર અને અભિવાદન સમારોહનું અતિથિવિશેષ પદ અબડાસા વિસ્તારનાં ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા […]
૩ મહિના દરમ્યાન માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બિનવારસ ૧૨ જેટલી લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. ૧૧ બિનવારસ લાસો ઓળખવિધિ માટે રાખ્યા બાદ તેઓનું કોઈ સગું-સાવકું ન મળતા. પોલીસ રિપોર્ટ અને મૃત્યુના દાખલા સાથે માનવજ્યોત સંસ્થા ભુજને સોંપવામાં આવતાં સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રસીક જોગી, વિક્રમ રાઠીએ શાસ્ત્રોક્તવિધિથી તેઓની અંતિમક્રિયા કરી હતી. એક મુસ્લિમ બિરાદરની બિનવારસ […]