પ્રમુખ સ્વામિનગર ચોકડી પાસે આવેલ “પ્રયાસ સ્કુલ,, મધ્યે બાળકો સાથે સેવાકીય પ્રવૃત્તિઓ વિશે ગોષ્ઠી ડો. મુક્તિબેન કે. પટેલનાં માર્ગદર્શન હેઠળ યોજાઇ હતી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે બાળકોને માનવસેવા,જીવદયા,પર્યાવરણ, વ્યસન મુક્તિ વિશે ઉપયોગી માહિતી પૂરી પાડી હતી. અન્નનો બગાડ અટકાવવા, વધુને વધુ વૃક્ષારોપણ કરવા, ખોટા વ્યસનનોથી દૂર રહેવા, અનોખી શિક્ષણ પ્રથાને અમલી બનાવવા બાળકોને માર્ગદર્શન પૂરૂં પાડ્યું […]
Monthly Archives: October 2023
ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ગુજરાતનાં વિવિધ માનસિક દિવ્યાંગોનાં આશ્રમોનો સંપર્ક કરી તેમની સાથે સંકલન કરી તેઓનાં આશ્રમમાં રહેલા માનસિક દિવ્યાંગોના ઘર શોધી, પરિવાર સાથે ફેરમિલન કરાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. સંસ્થાના અધ્યક્ષ પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજાનાં જણાવ્યા મુજબ મોરબી, મહુવા, સોમનાથ, બાયડ, આણંદ, ગાંધીધામ, ભચાઉની વિવિધ માનસિક દિવ્યાંગોની સંસ્થાઓ સાથે સંકલન કરવામાં […]
મિલેસૂર હમારા વુમન્સ મ્યુઝિકલ સંસ્થા અને સૂર આરાધના મ્યુઝિકલ સંસ્થા ભુજ દ્વારા માનવજયોત સંસ્થા ભુજનાં સથવારે શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગ ભાઈ-બહેનો સાથે રાસ-ગરબાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. પ્રારંભે મા જગદંબાની આરતી ઉતારવામાં આવેલ. ભુજનાં સામાજિક આગેવાન અને સંગીતપ્રેમી શ્રી ઝવેરીલાલભાઈ સોનેજીએ પોતાનાં જન્મદિવસની ઉજવણી માનવજયોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં […]
“મા,, નવદુર્ગાની નવલી નવરાત્રી નિમિત્તે અષ્ટમી આઠમનાં ઠેર-ઠેર મહાપ્રસાદનાં કાર્યક્રમો યોજાયા હતા. ભુજ અને ભુજ વિસ્તારનાં અનેક ગામોમાં વધી પડેલો મહાપ્રસાદ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા એકઠો કરવામાં આવ્યો હતો. બપોરથી રાત સુધીમાં રસોઈ વધી પડ્યાનાં ૨૩ ફોન આવ્યા હતા. વરલી, રતનાલ, કોટડા ચકાર, માધાપર, લાખોંદ, સુખપર, માનકુવા, થરાવડા વિગેરે ગામો તથા ભુજની ૮ સમાજવાડીમાંથી ૧૦ […]
આંધ્રપ્રદેશનાં કુરનુલ જીલ્લાની લક્ષ્મીકલાવંતી ઉ.વ. ૨૪ ગુમ થતાં પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરિવારજનો ખૂબ જ દુઃખી હતા. યુવાન દીકરીનું હવે શું થાશે તેની ચિંતામાં પરિવારજનો બેચેન બન્યા હતા. આંધ્રપ્રદેશ થી ટ્રેન મારફતે તે ગુજરાતમાં પહોંચી હતી અને જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ મધ્યે આશ્રય મેળવ્યું હતું. માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા […]
માનવજ્યોત સંસ્થા ભુજને માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે દાતા શ્રી ઝેડ.એમ.મુનશીં પરિવાર-ભુજ દ્વારા રૂા. ૪૦ હજારનું રાશન અર્પણ કરાયું હતું. શ્રી પ્રબોધ મુનવર,પૃથ્વીરાજસિંહ જાડેજા,રફીક બાવાએ દાતાશ્રી પરિવારનો આભાર માન્યો હતો.
મધ્યપ્રદેશનાં ધાર જીલ્લાનાં ધરમપુરી વિસ્તારની મહિલા મણી ઉ.વ. ૩૭ બે વર્ષ પહેલાં ગુમ થઇ હતી. પરિવાર તેને શોધી રહ્યો હતો પણ તે રખડતી ભટકતી બાયડનાં જય અંબે મંદબુદ્ધિ આશ્રમે પહોંચી હતી. માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા તેને ભુજ તેડી આવ્યા હતા. મધ્યપ્રદેશ પોલીસની મદદ લઇ તેનું ઘર શોધી કાઢ્યું હતું. તેના પરિવારજનો ને સમાચાર મળતાં […]
રીન્યુપાવર કાં. દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છને માનસિક દિવ્યાંગોના ભોજન માટે ૧૨ બાચકા ચોખા અર્પણ કરાયા હતા. રીન્યુ પાવર કાં નાં વિજય પ્રસાદ, સાજીદભાઈ, નીતીન ગોયેલ, સચીનકુમાર, સુરેશ રાઠોડ, ગોપાલભાઇ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટીએ આભાર માન્યો હતો.
માનવજ્યોત સંસ્થા ભુજની માનવસેવા અને જીવદયાની પ્રવૃત્તિઓ નજરે નિહાળી દાતાશ્રી અ.નિ. કલ્યાણભાઇ તેજાભાઈ હીરાણી સુખપર તથા અ.નિ. માતુશ્રી દેવબાઇ તથા સુપુત્રો નાનજીભાઇ, પ્રેમજીભાઈ, ધનજીભાઈ, મનજીભાઇ અરવિંદભાઇ અને સુરેશભાઇ દ્વારા રૂા. ૫૧ હજારનો ચેક અર્પણ કરાયો હતો. સંસ્થાનાં પ્રબોધ મુનવર, ગોવિંદભાઇ પાટીદાર તથા નરશીંભાઇ પટેલે દાતા પરિવારનો આભાર માન્યો હતો.
રાષ્ટ્રસંત, અચલગચ્છાધિપતિ, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબની ૩૫મી પુણ્યતિથિએ તેઓની ગુણાનુવાદસભા યોજાઇ હતી. પૂજ્ય સાધ્વી શ્રી પુનિતગુણાશ્રીજી મહારાજ સાહેબ આદિઠાણા-૩ ની નિશ્રામાં વર્ધમાનનગર જૈન સંઘ દ્વારા વર્ધમાનનગર અચલગચ્છ જૈન ઉપાશ્રય મધ્યે તા. ૧૩ થી ૧૫ સુધી સવારે ૮-૩૦ કલાકે ત્રિદિવસિય ધાર્મિક કાર્યક્રમો કલોલ: યોજાયા હતા. પૂજ્યશ્રીએ ગચ્છની ઉન્નતિ માટે કરેલા કાર્યોને બિરદાવવામાં […]
- 1
- 2