શ્રી સ્વામિનારાયણ કન્યા વિધાલય નારાણપર મધ્યે વિશ્વ ચકલી દિવસ ઉજવાયો

શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય નારાણપર મધ્યે વિશ્વ ચકલી દિવસની પૂર્વ સંધ્યાએ વિવિધ કાર્યક્રમો સાથે વિશ્વ ચકલી દિવસ ઉજવાયો હતો.

આ પ્રસંગે માનવજ્યોત સંસ્થા ભુજનાં પ્રમુખ પ્રબોધ મુનવર, ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, નરશીભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રારંભે શાળાનાં આચાર્ય વર્ષાબેન જોષીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. અને જણાવ્યું હતું કે, કચ્છમાં ચકલીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ત્યારે સમગ્ર કચ્છ વાસીઓએ ચકલી બચાવો અભિયાનમાં જોડાવું જોઇએ.

ઇકોકલબનાં કન્વીનર જીગ્નાબેન જોષીએ પ્રસંગ મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, માનવજ્યોત દ્વારા ઠેર-ઠેર લગાડવામાં આવતા માટીનાં ચકલીઘરોનો પ્રયોગ સફળ રહ્યો છે. ચકલીઘરો સુરક્ષા આપે છે. જે ઘરોઘર વસાવા જોઇએ.

માનવજ્યોતનાં શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, શંભુભાઇ જોષીએ માટીનાં ચકલીઘરો લાંબા સમય સુધી ચાલે છે. ચકલીઓને માટીનું ચકલીઘર હવે ફાવી ગયું છે. તેવું જણાવ્યું હતું.

માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરે માનવજયોતની કચ્છમાં ચાલી રહેલ માનવસેવા જીવદયાની પ્રવૃત્તિઓની માહિતી આપતાં જણાવ્યું હતું કે, ચકલીઓને બચાવવાની જાગૃતિ નહીં આવે તો ચકી-ચકાની જુની વાર્તા સમાપ્ત થઇ જશે. માટીનું પાણીનું કુડું દરરોજ સાફ કરી તેમાં સ્વચ્છ પાણી ભરવા તથા ચકલીઓ માટે દાણા તથા પાણીની વ્યવસ્થા સાથે તેને રહેવા માટે ચકલીઘરની વ્યવસ્થા કરવી જોઇએ. જેથી વધુ ચકલીઓ કચ્છમાં આવે.

શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય નારાણપરની બાળાઓને કુંડા-ચકલીઘર-જીવદયા સ્ટીકર તથા કાપડની થેલીઓનું વિતરણ માનવજ્યોત દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન આચાર્ય શ્રીમતિ વર્ષાબેન જોષીએ જયારે આભાર દર્શન સોનલબેન પ્રજાપતિએ કરેલ.

વ્યવસ્થામાં લતાબેન પટેલ, રાગિણીબેન જાની, ખેવનાબા જાડેજા, નિર્મલાબેન ધુવા, સબાનાબેન કટીયાએ સહકાર આપ્યો હતો.