ભોજન સમારંભોની વધી પડેલી રસોઇ ગરીબોનાં ઝુંપડે

ભોજન સમારંભોની વધી પડેલી રસોઇ ગરીબોનાં ઝુંપડે પહોંચે છે. માનવજ્યોત ના આ સેવા કાર્યથી ગરીબોનાં પેટનો ખાડો પૂરાય છે. અને અન્નનો બગાડ અટક્યો છે. ગરીબોનાં જઠારાગ્નિ ઠર્યા છે. ભોજન સમારંભોની વધી પડેલી રસોઇમાંથી વર્ષે અઢી લાખ લોકો ભરપેટ જમી જાય છે.

હાલમાં લગ્નોની સિઝન પુરબહાર ખીલી છે. ભુજ અને ભુજ વિસ્તારમાં ભોજન સમારંભોની વધી પડેલી રસોઇ ભુજની માનવજ્યોત સંસ્થા ગરીબોનાં ભુંગા-ઝુંપડા સુધી પહોંચાડે છે. જેથી ગરીબોનાં પેટનો ખાડો પૂરાય છે. અને અન્નનો બગાડ અટકે છે. ભોજન સમારંભો પૂર્ણ થતાં જ આયોજકો રસોઇ વધ્યાની જાણ માનવજ્યોત સંસ્થાને કરે છે. સંસ્થાનું વાહન વાસણો લઇ ભોજન સમારંભોનાં રસોડે જઇ પહોંચે છે. અને ગરમા ગરમ રસોઇ ભરી ગરીબોને વિતરણ કરે છે. આ પ્રવૃત્તિ ઘણાં જ લાંબા સમયથી ચાલે છે.

આ સેવા કાર્યમાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, દિપેશ શાહ, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, મનસુખભાઇ નાગડા, ગોવિંદભાઇ પાટીદાર, નીતીન ઠક્કર, શંભુભાઇ જોષી, નરશીંભાઇ પટેલ સહયોગ આપી રહ્યા છે.