રવેચીધામ મધ્યે રામકથામાં પૂ. મોરારીબાપુને કુંડા-ચકલીઘર અર્પણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે ચકલીઓને રહેલા ઘર મળે એવા ઉદેશ સાથે કચ્છ ભરમાં જીવદયાનું આ અભિયાન ચાલી રહ્યું છે.

રવેચીધામ મધ્યે રામકથા દરમ્યાન સાંજે યોજાયેલ સત્સંગસભામાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, રાણાભાઇ પાંચાભાઇએ રામાયણી સંત શ્રી પૂ. મોરારી બાપુને કુંડા-ચકલીઘર અને માનવજ્યોત સંસ્થાની કચ્છભરમાં ચાલતી પ્રવૃત્તિઓની પુસ્તીકા અર્પણ કરી હતી. શ્રી પ્રવિણભાઇ તન્ના તથા વાડીલાલભાઇ સાવલાએ સહકાર આપ્યો હતો.

પૂ. બાપુએ સંસ્થાને આશિર્વાદ પાઠવ્યા હતા. વર્ષ 2019 માં પૂ. બાપુએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પાવન પગલા કરી માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને પણ આશિર્વાદ પાઠવ્યા હતા.