પ્રાંત અને મામલતદાર ભુજ કચેરીએ દિવ્યાંગો માટે બે વ્હીલચેરો મૂકાઇ

પ્રાંત અને મામલતદાર (ભુજ શહેર) કચેરીએ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિવ્યાંગ ભાઇ-બહેનો માટે બે વ્હીલચેર મૂકવામાં આવી છે.

કચેરીએ આવતા-જતા દિવ્યાંગ ભાઇ-બહેનો પોતાનાં કામો માટે કચેરીની અંદરની વિવિધ ઓફિસો કે કાઉન્ટરો સુધી પહોંચી જઇ પોતાનું કામ સરળતાથી પૂર્ણ કરી શકે તેવા ઉદેશ સાથે દિવ્યાંગ ભાઇ-બહેનો માટે બે વ્હીલચેરો મૂકવામાં આવી છે.

વ્હીલચેરો પ્રાંત અને મામલતદાર કચેરીને અર્પણ કરવા પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી ભુજ ડો. એ.બી. જાદવ, ભુજ શહેર મામલતદાર શ્રી તેજશ એન. પટેલ, શીરસતદાર પ્રાંત કચેરી ભુજનાં રાજન વ્યાસ, નાયબ મામલતદાર મહેસુલ ભુજ શહેર હરેશભાઇ જોષી, શીતલ શાહ, કૌશલ મહેતા, તથા માનવજ્યોત પ્રબોધ મુનવર, રફીક બાવા
ઉપસ્થિત રહ્યા હતા.