માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ વિસ્તારમાં ભૂંગા-ઝુંપડામાં રહેતા અને જેના ઘરમાં ફ્રિઝ કે વોટર કુલર નથી તેવા પરિવારોને ઠંડા પાણી માટેના માટીનાં માટલા વિતરણ કરાયા હતા. ભુજ શહેરનાં ભીડગેટ વિસ્તારેથી માટલા વિતરણ કાર્યનો પ્રારંભ કરાયો હતો.
કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં ગરીબ પરિવારોને પણ ઠંડુ પાણી પીવા મળે તેવા હેતુ સાથે એક દાતાશ્રીનાં સહયોગથી ભુજ વિસ્તારનાં ૧૦૦ પરિવારોને નળસાથેનાં માટલા વિતરણ કરાયા હતા. પરિવારોએ ખુશી વ્યક્ત કરી હતી.
સુરેશભાઇ માહેશ્ર્વરી તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભૂંગા-ઝુંપડામાં રહેતા પરિવારોની આંતરડી ઠારવાનું કામ આ ઠંડા પાણીનાં માટલા કરશે.
કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભારવિધિ શંભુભાઇ જોષીએ કરેલ. વિતરણ વ્યવસ્થા રફીક બાવા, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, દિપેશ શાહ, નિતિનભાઈ ઠક્કર, મનસુખભાઇ નાગડા, ભુપેન્દ્ર બાબરીયા, પ્રતાપ ઠક્કર, અક્ષય મોતા, રસીકભાઇ ઠક્કરે સંભાળી હતી.