માનવજ્યોત સંસ્થા ભુજનાં માર્ગદર્શન હેઠળ જલારામ સેવા કેન્દ્ર તથા પર્યાવરણ જાગૃતિ ગ્રુ કોઠારાનાં સહકારથી શ્રી રાપરગઢવારી પ્રાથમિક શાળા મધ્યે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
શાળાનાં મુખ્ય શિક્ષક ધીરજભાઇ ગુસાઇ તથા દામજીભાઇ ચૌહાણે બાળકોને પ્લાસ્ટીકનાં થેલી. ઝબલાનાં બદલે કાપડની થેલીઓનો ઉપયોગ કરવા તથા પર્યાવરણને બચાવવા સમજ પૂરી પાડી હતી. શાળાનાં બાળકોને કાપડની થેલીઓ, કુંડા-ચકલીઘર અર્પણ કરવામાં આવેલ. વ્યવસ્થામાં શાળા શિક્ષકગણે સહકાર અપ્યો હતો.