માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બિનવારસ પાંચ જેટલી લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. પાંચ બિનવારસ લાસો ઓળખવિધિ માટે રાખ્યા બાદ તેઓનું કોઈ સગું-સાવકું ન મળતા પોલીસ રિપોર્ટ અને મૃત્યુના દાખલા સાથે માનવજ્યોત સંસ્થા ભુજને સોંપવામાં આવતાં સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રસીક જોગી, વિક્રમ રાઠી, હિતેશ ગોસ્વામી, રફીક બાવાએ શાસ્ત્રોક્તવિધિથી તેઓની અંતિમક્રિયા કરી હતી. લાકડીયા, જસાપર, ગાંધીધામ, […]
Category Archives: News/Events
પશ્ર્ચિમ બંગાળની રહેવાસી યુવાન મહિલા ઉ.વ. 37 મોરબીથી ગુમ થઇ હતી. અચાનક તે ટ્રેન મારફતે ભુજ રેલ્વે સ્ટેશને પહોંચી હતી. મહિલા હેલ્પલાઇન 181 ને જાણ થતાં તેને રેલ્વે સ્ટેશનથી લઇ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે મૂકવામાં આવેલ. આ યુવતીનાં મા-બાપ પશ્ર્ચિમ બંગાળમાં રહે છે. યુવતીના લગ્ન દીલ્હીનાં ઇર્શાદ સાથે થયા હતા. […]
રિજનલ સાયન્સ સેન્ટર અને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા પ્લાસ્ટીક બેગ મુક્ત દિવસ નિમિત્તે રિજનલ સાયન્સ સેન્ટર મધ્યે ભાઇ-બહેનોને કાપડની થેલીઓ અર્પણ કરી પ્લાસ્ટીક બેગોનો બહિષ્કાર કરવા સમજ પૂરી પાડવામાં આવેલ. પ્લાસ્ટીક થેલીઓના વપરાશથી થતા નુકશાન અંગે સમજ પૂરી પાડવામાં આવેલ. રિજનલ સાયન્સ સેન્ટર ભુજ પ્રોજેકટ ડાયરેકટર ડો. સુમિત વ્યાસ, ફેસીલીટી મેનેજર આરતીબેન આર્ય સાયન્સ કોમ્યુનિકેટર […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગો 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જોડાઈ યોગા કર્યા હતા. સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ માનસિક દિવ્યાંગોને યોગા કરાવ્યા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કુરૂવા, દિલીપ લોડાયા, દામજીભાઇ મૈશેરી સહિત સર્વે કાર્યકરોની ટીમ વિશ્વ યોગા દિવસની ઉજવણીમાં જોડાઈ હતી
છતીસગઢ રાજયનાં મિનિસ્ટર ઓફ સોશિયલ જસ્ટિસ અને ઓમ પાવર મેન્ટનાં પૂર્વ સંયુક્ત સચિવ રાજેશ તિવારી, નિઃશક્તજન ડિસેબિલીટી અને ફાઇનાન્સ તથા ડેવલપેમેન્ટ કોર્પોરેશનનાં હેડ અને સમાજ કલ્યાણ વિભાગનાં લોકેશ કાવડિયાએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લઇ માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સારવાર તથા તેમને ઘર પહોંચાડવાની પ્રવૃત્તિને બિરદાવી હતી. માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરે […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અમદાવાદની દુઃખદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ મૃતકોનાં આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવેલ. સંસ્થાનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, મનસુખભાઇ નાગડા, રફીક બાવા, નીતિન ઠક્કરે વિમાન અકસ્માતમાં મૃત્યુ પામનાર ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી તથા સર્વે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતાશ્રી ઇશ્ર્વરલાલભાઇ મગનલાલ ઠક્કર પરિવાર દ્વારા બળબળતા તાપ અને સખત ગરમી વચ્ચે 100 શ્રમજીવીકોને નવા બુટ-ચંપલ પગરખા વિતરણ કરવામાં આવતાં શ્રમજીવીકોએ ખુશી વ્યક્ત કરી હતી. જુદા-જુદા વિસ્તારોમાં જરુરતમંદ બાળકોને પગરખા પહેરાવાયા હતા. વિતરણ વ્યવસ્થામાં પ્રબોધ મુનવર, રાજેશ જોગી, સલીમ લોટા, વિક્રમ રાઠીએ સહકાર આપ્યો હતો.
ગુમ લોકોનાં ઘર-પરિવાર શોધવામાં માનવજ્યોત સંસ્થા ભુજને સફળતા મળી છે. કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા 2100 માનસિક દિવ્યાંગો પોતાના ઘર-પરિવાર સુધી પહોંચ્યા છે. દરેક રાજ્યની અને સમગ્ર કચ્છની પોલીસ માનવતાનાં આ સેવાકાર્યમાં મદદરુપ બની છે. ટ્રેન કે અન્ય વાહનો મારફતે અને પગે ચાલીને કચ્છ પહોંચેલા અને કચ્છનાં ગામડાઓમાંથી મળેલા રખડતા-ભટકતા માનસિક દિવ્યાંગો […]
ભોજન સમારંભોની વધી પડેલી રસોઇ ગરીબોનાં ઝુંપડે પહોંચે છે. માનવજ્યોત ના આ સેવા કાર્યથી ગરીબોનાં પેટનો ખાડો પૂરાય છે. અને અન્નનો બગાડ અટક્યો છે. ગરીબોનાં જઠારાગ્નિ ઠર્યા છે. ભોજન સમારંભોની વધી પડેલી રસોઇમાંથી વર્ષે અઢી લાખ લોકો ભરપેટ જમી જાય છે. હાલમાં લગ્નોની સિઝન પુરબહાર ખીલી છે. ભુજ અને ભુજ વિસ્તારમાં ભોજન સમારંભોની વધી પડેલી […]
પિંગલેશ્ર્વર પૂનમ ગ્રુપ, દેવલીલા ચેરીટેબલ ટ્રસ્ટ, ક્રીશીવ ફાઉન્ડેશન અને પ્રેરણા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોની વચ્ચે સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંડળોના બહેનોએ ભજન,કિર્તનની રમઝટ જમાવી હતી. તેમજ માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને સ્વહસ્તે અલ્પાહાર કરાવ્યો હતો. અને રાસ, ગરબા રમ્યા હતા. દેવલીયા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી સ્વ. […]








