માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજનાં ભાનુશાલીનગર, સરકારી વસાહત મધ્યે આવેલ. શ્રી બિલેશ્વર મહાદેવ મંદિરે કુંડા,ચકલીઘર,કાપડની થેલીઓ વિતરણ કાર્યક્રમ સંસ્થાનાં પ્રમુખ પ્રબોધ મુનવરનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. અતિથિવિશેષપદ કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, રાધિકા મહિલા મંડળનાં પ્રમુખ પૂનમબા એચ. જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા,હરેશભાઇ દવે, એ શોભાવ્યું હતું. પ્રારંભે શિવશંકર નાકરે સ્વાગત પ્રવચન કર્યું હતું.માનવજ્યોતનાં […]
Category Archives: Activities
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા કચ્છ જિલ્લામાં માનવસેવા અને જીવદયાની વિવિધ પ્રવૃત્તિઓ છેલ્લા ૧૫ વર્ષથી થઇ રહેલ છે. ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર, શ્રી રામકથા સમિતિ દ્વારા અહિંસાધામ નંદી સરોવર મધ્યે શ્રી રામકથાનાં છઠ્ઠા દિવસે સાંજે કચ્છ-ગુજરાતની વિવિધ સંસ્થાઓની કામગીરીને બિરદાવવામાં આવેલ. પ.પૂ. સંત શ્રી મોરારીબાપુની ઉપÂસ્થતિમાં દરેક કાર્યકરોને તેમનાં વરદ્ […]
“વાયુ’’ વાવાઝોડાની કચ્છ ઉપર ત્રાટકવાની સામે પૂર્વ તૈયારીરૂપે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સૂકા-નાસ્તાનાં ૧૦ હજાર પેકેટો તૈયાર રાખવામાં આવેલ છે.જ્યાં જરૂરત ઉભી થશે ત્યાં આ પેકેટો વિતરણ કરવામાં આવશે. માનવજ્યોતની ટીમ દ્વારા આફત અને સંકટ સમયે લોકોની વચ્ચે લોકોની સાથે રહી માનવસેવાનું કાર્ય કરવા કાર્યકરોની ટીમને તૈયાર રાખવામાં આવેલ.તેવું સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર તથા મંત્રી […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ-પાલારા-કચ્છ દ્વારા નારાણપરનાં એક સદ્ગૃહસ્થ દાતાશ્રીનાં સહયોગથી ૫૦૦ કિલો કેરી શ્રમજીવી પરિવારોનાં ભૂંગા-ઝુંપડાઓમાં જઇ દરેક પરિવારોને કેરીઓનું વિતરણ કરવામાં આવતાં શ્રમજીવી પરિવારોએ ખુશી વ્યક્ત કરી હતી. વિતરણ વ્યવસ્થામાં પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, પ્રતાપ ઠક્કરે સંભાળી હતી.
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ વિસ્તારમાં ઝુંપડા અને ભૂંગાઓમાં રહેતા ૧૦૦ શ્રમજીવી પરિવારોનાં ભૂંગા ઝુંપડા સુધી જઇ ઠંડા પાણીનાં માટીનાં માટલા વિતરણ કરવામાં આવ્યા હતા. શ્રમજીવી પરિવારોને કાળઝાળ ગર્મીમાં પીવાનું ઠડું પાણી મળી રહે તેવા ઉદ્ેશ સાથે ૧૦૦ શ્રમજીવી પરિવારોનાં ઝુંપડે ઠંડા પાણીનાં માટીનાં માટલા વિતરણ કરાયા હતા. વિતરણ વ્યવસ્થા […]
માનવજ્યોત સંસ્થા દ્વારા શ્રી બાપા સીતારામ મઢુલી સંસ્કાર નગર મધ્યેના પ્રાંગણમાં બિલીપત્ર, ફુલ વિ. છોડનું વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન શ્રી અર્જુનસિંહજી જાડેજાએ શોભાવ્યું હતું. શ્રી અરવિંદભાઇ ગઢવીએ સૌનું સ્વાગત કર્યું હતું. શ્રી અર્જુનસિંહ જાડેજા, અરૂણભાઇ જાષી, દેવદત ગઢવી, કુમારસિંહ પઢિયાર, શંભુભાઇ જાષીના શુભ હસ્તે બિલીપત્ર અને ફુલના વૃક્ષોનું વૃક્ષારોપણ કાર્ય થયું હતું. […]






