Category Archives: Activities

માનવજ્યોતની ભૂખ્યાને ભોજન પ્રવૃત્તિ જરૂરતમંદો સુધી પહોંચી

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કોરોના સંકટ અનલોક-૨ દરમ્યાન કપીરાજ હનુમાન મંદિર મીરઝાપર, રામદેવપીરમંદિર લાખોંદ, આઇયાનગર મહિલા મંડળ-માધાપરનાં સહયોગથી ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં જરૂરતમંદોનેભોજન કરાવાય છે. જનતા કફર્યું દિવસથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભૂખ્યાને ભોજનપ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી. જેઆજે પણ ચાલુ રહી છે. મંદિરો ટ્રસ્ટો, દાતાશ્રીઓ, સોસાયટીઓ, નગરો, યુવક મંડળો, મહિલામંડળો તથા વિવિધ સંસ્થાઓ અને […]

પ.પૂ. પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીને શ્રદ્ધાંજલિ અપાઇ

સેવામૂર્તિ શ્રી પુરૂષોત્તમપ્રિયદદાસજી સ્વામી બ્રહ્મલીન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા તેઓશ્રીને શ્રદ્ધાંજલિ અપાઇ હતી. માનવસેવા, જીવદયા, ધાર્મિક અને શિક્ષક ક્ષેત્રે તેઓશ્રીએ કરેલ કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા. તેઓશ્રીની પ્રેરણાથી માનવજ્યોત સંસ્થાને અનેક વખત અનુદાન મળેલ હતું.સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જોષી, અરવિંદ ઠક્કરે અંજલિ આપી હતી.

નારી શક્તિ વિકાસ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્ર સેવાને બિરદાવાઇ

નારી શક્તિ વિકાસ ટ્રસ્ટ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં શ્રી પ્રબોધ મુનવરની કોરોના વાયરસ સંકટ સમયે સર્વોત્તમ ભૂમિકા નિભાવી કર્તવ્યરૂઢ થઇ ઘર-પરિવારથી દૂર રહી નિષ્ઠાપૂર્વક સેવા આપવા બદલ સન્માનપત્ર એનાયત કરવામાં આવેલ. નારીશક્તિ વિકાસ ટ્રસ્ટનાં હફીઝાબેન સમા, મીનાબેન બોરીચા અને અનીતાબેન ઠાકુરનાં હસ્તે સન્માનપત્ર અર્પણ કરાયું હતું. અને ભૂખ્યાને ભોજન પ્રવૃત્તિ બિરદાવવામાં આવેલ.

શેરીએ શેરીએ પડાવો સાદ વૃક્ષો હોય ત્યાં હોય વરસાદ… વૃક્ષો વાવો વરસાદ લાવો

કોટીવૃક્ષ અભિયાન બીદડા-કચ્છનાં શ્રી એલ.ડી. શાહનાં માર્ગદર્શન હેઠળ માંડવી તાલુકામાં મોટા પાયે વૃક્ષારોપણનું કાર્ય થયેલ. સરકારી વહીવટી તંત્ર, સંસ્થાઓ, શાળા-કોલેજાે, વિવિધ મંડળો, દરેક ગામ વાસીઓ,પંચાયતો દ્વારા ઠેર-ઠેર વૃક્ષારોપણ કરાયું. પરિણામે માંડવી સમગ્ર તાલુકામાં શ્રીકાર વરસાદ થતાં સમગ્ર માંડવી તાલુકો લીલોછમ અને હરિયાળું બન્યું છે. ધરતી માતાએ લીલી ચાદર ઓઢી છે. તો પશુધન માટે સુખનાં દિવસો […]

માનવજ્યોતની વિવિધ સેવાઓ જરૂરતમંદો સુધી પહોંચી ભુખ્યાને ભોજન પ્રવૃત્તિમાં ૧,૩૭,૧૯૭ લોકોને ભોજન કરાવાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા કોરોના સંકટમાં લોકડાઉન અને અનલોકમાં અત્યાર સુધીમાં ભુજ અને ભુજ વિસ્તારમાં જરૂરતમંદ ૧,૩૭,૧૯૭ શ્રમજીવીકોને ભોજન કરાવવામાં આવ્યું છેજેમાં જુદા- જુદા ગામો, મંદિરો, ટ્રસ્ટો, યુવક મંડળો, મહિલા મંડળો, સોસાયટીઓ, નગરો અને વિવિધ દાતાશ્રીઓનો સાથ અને સહકાર મળી રહ્યો છે. જેનાં કારણે ભૂખ્યાને ભોજન આ પ્રવૃત્તિ જનતા કફર્યુ […]

શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનો ૪ વર્ષમાં પ્રવેશ ૩૫૦ માનસિક દિવ્યાંગો ઘર સુધી પહોંચ્યા

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનો ૪ વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. વિતેલા ૩ વર્ષમાં સંસ્થાએ કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા એકલા-અટુલા-નિરાધાર ૩૫૦ માનસિક દિવ્યાંગોને સારવાર અપાવી ઘણાં માનસિક દિવ્યાંગો ૫,૧૦,૧૫,૨૦,૨૫,૩૦,૩૫ વર્ષ પછી પોતાનાં ઘર સુધી પહોંચ્યા છે. અત્યારે ૪૦ માનસિક દિવ્યાંગો આ આશ્રમમાં સારવાર લઇ રહ્યા છે. જેમની ભોજન તથા રહેવા […]

પાલારા ખાસ જેલ મધ્યે ઉકાળો-આયુર્વેદિક ગોળીઓ-માસ્ક વિતરણ કરાયા

કચ્છ જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા, જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રી કમલેશભાઇ જાષીનાં માર્ગદર્શન હેઠળ પાલારા ખાસ જેલનાં કેદી ભાઇ-બહેનો, સ્ટાફ તથા કવાટર્સમાં રહેતા પરિવારોને અનેક ઔષધિયોમાંથી બનાવેલો તૈયાર ગરમ ઉકાળો, રોગપ્રતિકાર શક્ત વધારનાર આયુર્વેદિક ગોળીઓ તથા માસ્ક વિતરણ કાર્યક્રમ પાલારા ખાસ જેલ અધિક્ષક શ્રી ડી.એમ. ગોહેલ, ડો. પાવનભાઇ ગોર, માનવજ્યોતના પ્રબોધ મુનવરની ઉપસ્થતમાં પાલારા ખાસ જેલ મધ્યે […]

ડુંગરોમાંથી રસ્તો બનાવી સામત્રા ગામને પાલર પાણી પહોંચાડનાર દાતાશ્રીની સેવાઓને બિરદાવાઇ

ભુજ તાલુકાનાં વિકસતા સામત્રા ગામમાં ડુંગરોમાંથી રસ્તો બનાવી આખા ગામને પીવાનું મીઠું અને શુદ્ધ પાણી પહોંચાડનાર ગામના દાતા શ્રી કાનજી કુંવરજી વરસાણી (કે.કે. પટેલ) તથા તેમનાં ધર્મપત્ની ધનબાઇ બહેનની જન્મભૂમિ પ્રત્યેની ભાવનાંઓને માનવજ્યોત સંસ્થાએ બિરદાવી હતી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જાષી, જયવીરસિંહ સોઢા તથા ભરતસિંહ ભોજુભા જાડેજાએ દાતાશ્રી નિર્મિત સામત્રા ગામનાં છ તળાવો, […]

માનવજ્યોત સંસ્થા ભુજને ૧ રૂમનું અનુદાન અપાયું

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છને દાતાશ્રી અ.નિ. નાનજીભાઇ હીરજીભાઇ માધાપરીયા અને અ.નિ. રવજીભાઇ હીરજીભાઇ માધાપરીયા-માધાપર હાલે બોલ્ટન યુ.કે. હસ્તે દેવુબેન નાનજી માધાપરીયા પરિવાર દ્વારા એક રૂમનું અનુદાન અપાયું હતું. સંસ્થાની પ્રવૃત્તિથી ખુશ થઇ દાતા પરિવારે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. સંસ્થાના શ્રી પ્રબોધ મુનવર તથા લવભાઇ ઠક્કરે દાતા પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત […]

બે દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર હરતા ફરતા કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતા શ્રી સ્વ. કુસુમબેન કાંતિલાલ લગધીર ચૌહાણનાં આત્મશ્રેયાર્થે તેમનાં પુત્ર નીલેશભાઇ ચૌહાણ માધાપર દ્વારા બે દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરાતાં દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હવે અમો માર્ગો ઉપર હરી-ફરી શકશું. આ પ્રસંગે ઉપસ્થત સર્વેને માસ્ક વિતરણ કરાયા હતા. અત્યાર સુધી ૩૬૭ દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ […]